________________
૨૮
દાનહાત્રિશિકા/શ્લોક-પ/૬ તેવો પરિણામ ન હોય તો માત્ર દાનની ક્રિયાથી તેનું ફળ મળતું નથી. આથી કારણિક દાનશાળા સિવાય અન્ય દાનશાળાઓમાં અનુકંપાદાનનું ફળ મળતું નથી, તેમ પૂર્વમાં કહેલ છે. તેથી ફળ પ્રત્યે મુખ્ય કારણ શુભાશય છે અને તે શુભાશયની નિષ્પત્તિમાં દાનની ક્રિયા અંગરૂપ છે, માટે ગૌણ છે.
‘વેદસંવેદપી ’ | વળી આવા શુભાશયનો અધિકારી વેદ્યસંવેદ્યપદવાળો જીવ છે, તેમ કહ્યું. તેનાથી એ પ્રાપ્ત થાય કે વેદસંવેદ્યપદવાળો જીવ સમ્યગ્દષ્ટિ છે અને મુનિઓનું પારમાર્થિક લોકોત્તર સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે, અને “મનુષ્યજન્મનું ખરું સાફલ્ય મન-વચન-કાયાને અત્યંત સંવૃત કરીને કેવળ ભગવાનના વચનાનુસાર સમિતિ-ગુપ્તિમાં પ્રવર્તાવવામાં છે, અને તેમ પ્રવર્તાવવામાં આવે તો આત્માનું હિત થાય. આમ છતાં હું સમિતિ-ગુપ્તિમાં યત્ન કરીને મનુષ્યભવને સફળ કરી શકું તેવી શક્તિવાળો નથી, તોપણ તેવી શક્તિના સંચય અર્થે મારે લોકોત્તમ એવા ભગવાનની ભક્તિ કરવી જોઈએ કે જેથી તેમની ભક્તિના બળથી તેમના વચનાનુસાર જીવન જીવવાની મારામાં પણ શક્તિ પ્રગટે.” આવો ઉત્તમ શુભાશય સમ્યગ્દષ્ટિ જીવ ધારણ કરે છે.
વળી હું મારી શક્તિને અનુસાર તેવી દાનશાળાદિમાં પ્રવૃત્તિ કરું કે જેથી – (૧) લોકોને ભગવાનના શાસન પ્રત્યેનું વલણ થાય, (૨) ભગવાનના શાસનને જાણવાની જિજ્ઞાસા થાય, અને (૩) આ ભગવાનના શાસનની ઓળખ થતાં તેઓને આ શાસન એકાંતે કલ્યાણનું કારણ છે, તેવી બુદ્ધિ પેદા થાય; જેથી
(૪) તેઓ જોઈ શકે કે મનુષ્યભવનું સાફલ્ય ભગવાનના વચનાનુસાર જીવન જીવવામાં છે અને
(૫) તેઓ પણ મારી જેમ સર્વવિરતિની લાલસાવાળા થઈને સર્વવિરતિના ભાવને પ્રાપ્ત કરે.
આવો પણ ઉત્તમ આશય સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. તેથી તેઓની દાનશાળાદિ પ્રવૃત્તિમાં પણ અનુકંપાનો પરિણામ છે; કેમ કે યોગ્ય જીવોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org