________________
૨૫
દાનહાવિંશિકા/શ્લોક-પ૬, કૃત્યથી થયેલા બીજાધાનાદિથી, નિવૃતિની સિદ્ધિ=મોક્ષની પ્રાપ્તિ, છે. તે કારણથી પુષ્ટાલંબનથી થયેલ દાનશાળાદિકર્મમાં બીજાધાનાદિ દ્વારા અનુકંપાની લિમિતતા છે તે કારણથી, અહીં=અનુકંપાતા ઉચિત ફળમાં, મુખ્ય હેતુ શુભાશય છે, વળી દાત ગૌણ જ છે. વેધસંવેદ્યપદવાળો જ તેવા પ્રકારના આશયનું પાત્ર છે=દાનશાળાદિ કૃત્યમાં લોકોને બીજાધાનાદિ કરાવે તેવા પ્રકારના આશયનું પાત્ર છે, અને તેવા આશયનું અનુગમ જ= દાનક્રિયાકાળે તેવા આશયનું અનુસરણ જ, નિશ્ચયથી નિશ્ચયનયથી, અનુકંપા છે, એ પ્રકારે ફલિત છે. પાછા ભાવાર્થ :
અવતરણિકામાં શંકા કરેલ કે અન્નપ્રદાનાદિ કૃત્યોમાં અનુકંપા નથી, તેમ કહેનારાઓને, કારણિક દાનશાળાદિ કૃત્યમાં પણ અનુકંપા નથી, તેમ માનવાની આપત્તિ આવશે. તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે કે પ્રદેશી, સંપ્રતિ રાજા આદિએ જે દાનશાળાદિ કૃત્ય કરેલ તે પુષ્ટાલંબનને આશ્રયીને હતાં અર્થાત્ લોકોને બીજાધાન કરાવે તેવા સભાવરૂપ કારણવાળાં હતાં. તે કૃત્યોથી લોકોમાં પ્રવચનની પ્રશંસા આદિ થાય છે, અને લોકોમાં ભગવાનના શાસન પ્રત્યેના રાગની વૃદ્ધિ થવાથી યોગ્ય જીવોને બીજાધાનાદિ થાય છે અને તે બીજાધાનાદિ દ્વારા ક્રમે કરીને જીવો મોક્ષમાં પહોંચે છે. તેથી તે કારણિક દાનશાળાદિ કત્યમાં જે થોડા જીવોની હિંસા થઈ. તેના કરતાં ઘણા જીવોને ઉપકાર થાય છે; કેમ કે એક પણ જીવ આ દાનશાળાના નિમિત્તને પામીને મોક્ષમાં જાય તો તેનાથી છકાયના જીવોનું પાલન થાય છે અર્થાતુ દાનશાળાના નિમિત્તને પામીને જીવ મોક્ષે જાય છે ત્યારે સદા માટે તે જીવથી હિંસાની પ્રવૃત્તિ અકે છે. આમ, દાનશાળામાં જે હિંસા થયેલ, તેનાથી ઘણા અધિક જીવોનું રક્ષણ થયું. આથી ગાથા-૩માં બતાવેલ અનુકંપાનું લક્ષણ પ્રદેશી, સંપ્રતિ રાજા આદિની દાનશાળામાં સંગત થાય છે, માટે તે દાનશાળાદિ કર્મ અનુકંપાની નિમિત્તતાને અતિક્રમણ કરતું નથી.
અહીં વિશેષ એ છે કે અન્ય દાનશાળાઓમાં આહારાદિ વાપરીને લોકોને તૃપ્તિનો અનુભવ થાય છે, પરંતુ લોકોને તૃપ્તિના અનુભવરૂપ જે ઉપકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org