________________
દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૫/૬
૨૩
જોઈને તેને વિચાર આવે છે કે, “ખાવામાત્રના આશયથી મેં આ સંયમ લીધું તોપણ મને આ લોકો આટલો આદર આપે છે, તો ખરેખર ! આ સંયમ કેટલું મહાન હશે !” આ રીતે સંયમના વિશેષ બોધ વગર પણ ઓઘથી સંયમ પ્રત્યેનો બહુમાનભાવ તેને જૈનશાસનની પ્રાપ્તિનું કારણ બન્યો; તેમ શ્રાવકની ઉર્જિત આચારવાળી પ્રવૃત્તિ જોઈને ભગવાનના શાસન પ્રત્યે વિશેષ બોધ વગરના પણ યોગ્ય જીવોને બહુમાનભાવ થાય છે અને તેનાથી બીજાધાન થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઉચિત સ્થાને વિવેકપૂર્વકની કરાયેલી જિનપૂજા અનુકંપાની નિમિત્તતાને ઓળંગતી નથી.
અવતરણિકા :
नन्वेवं कारणिकदानशालादिकर्मणोऽप्युच्छेदापत्तिरित्यत आह
અવતરણિકાર્ય :
‘નનુ’ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે આ રીતે=પૂર્વગાથામાં પૂર્તનું લક્ષણ કર્યું તેમાં અન્નપ્રદાનના સ્થાનનું ગ્રહણ છે, એ રીતે, કારણિક દાનશાળાદિમાં કર્મના પણ ઉચ્છેદની પ્રાપ્તિ છે, આથી ગ્રંથકાર કહે છે
-
ભાવાર્થ :
શ્લોક-૩માં અનુકંપાનું લક્ષણ કર્યું, તે લક્ષણ પ્રમાણે તો કારણિક દાનશાળામાં અનુકંપા સંગત છે. આમ છતાં શ્લોક-૪માં ઈષ્ટકર્મમાં અને પૂર્તકર્મમાં અનુકંપા નથી, એમ કહ્યું; અને પૂર્તકર્મમાં દાનશાળાનો સમાવેશ છે, તેથી દાનશાળામાં પણ અનુકંપા નથી, એમ જણાય. તેને સામે રાખીને પૂર્વપક્ષીને શંકા થઈ કે આ રીતે તો કારણિક દાનશાળામાં પણ અનુકંપા નથી, તેમ માનવાની આપત્તિ આવશે. તેના સમાધાનરૂપે ગ્રંથકાર બતાવે છે
શ્લોક ઃ
पुष्टालम्बनमाश्रित्य दानशालादिकर्म यत् । तत्तु प्रवचनोन्नत्या बीजाधानादिभावतः । । ५ । । बहूनामुपकारेण नानुकम्पानिमित्तताम् । अतिक्रामति तेनात्र मुख्यो हेतुः शुभाशयः ।।६॥
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org