SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૪ વળી કોઈ જિનાલયાદિ નિર્માણ કરતા હોય ત્યારે એવો કોઈ વિવેક ન હોય કે “આ પ્રસંગને પામીને જગતના જીવો ભગવાનના શાસનને પામો અને છકાયના રક્ષક બનો” તો તે જિનાલયને બંધાવવાની ક્રિયા પણ લૌકિક પૂર્ત કર્મ બને અને ઘણા આરંભ-સમારંભવાળી બને, તેથી તેમાં પણ અનુકંપાનું લક્ષણ સંગત થતું નથી. ૨૨ આવો અધ્યવસાય ક૨વા માટે સમ્યગ્દષ્ટિ અધિકારી છે, તેનું કારણ એ છે કે સમ્યગ્દષ્ટિ આત્મા સર્વ ઉપદ્રવ વગરની, ફક્ત જ્ઞાનમય જીવની પરિણતિને ‘યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ'માં શ્લોક-૧૫૭માં લખ્યું એ પ્રમાણે ૫૨માર્થથી હિતરૂપ જુએ છે, અને મનુષ્યભવને પામીને તે પરિણતિને પ્રગટ કરવા માટે સંયમને અનુરૂપ મન-વચન-કાયાની પ્રવૃત્તિ તેને ઈષ્ટ દેખાય છે, અને તે પ્રવૃત્તિ સર્વવિરતિરૂપ છે. વળી પોતાનામાં તે શક્તિ પ્રગટ કરવા અર્થે તે ભગવાનની પૂજા કરે છે અને વિચારે છે કે, “આ ભગવાનની પૂજા કરીને હું પણ ભગવાનની આજ્ઞા અનુસાર સંયમમાં યત્ન કરવાની શક્તિવાળો થાઉં અને મારી ઉચિત પ્રવૃત્તિ જોઈને લોકો પણ ભગવાનના શાસન પ્રત્યે બહુમાનભાવવાળા થાઓ, જેથી તેઓ પણ સર્વવિરતિ ગુણસ્થાનક સ્વીકારીને છકાયના જીવોના પાલન કરનારા બને.” આવા પ્રકારનો સૂક્ષ્મ બોધ સમ્યગ્દષ્ટિને હોવાથી તે બોધને અનુરૂપ ઉત્તમ ભાવો કરવા દ્વારા લોકોના બીજાધાનનું કારણ બને તેવી ઉચિત પ્રવૃત્તિ કરે છે. વળી સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે કે માત્ર ધનવ્યયથી લોકોમાં બીજાધાન થતું નથી, પરંતુ જેમ ભગવાનની ભક્તિમાં ઉદારતાનો આશય અપેક્ષિત છે, તેમ તેના ઉર્જિત આચારો–ઉંચા પ્રકારના આચારો, પણ અપેક્ષિત છે; અને આવા ઉર્જિત આચારોથી તે જ્યારે ભગવાનની ભક્તિ કરતો હોય ત્યારે તેની ભક્તિને જોઈને વિચારકને બહુમાન થાય છે કે ‘આ શ્રાવક આ રીતે ભગવાનની ભક્તિમાં કેવો તલ્લીન છે ! તેથી દેખાય છે કે આવા પ્રકારના ધર્મને બતાવનાર ભગવાનનું શાસન કંઈક વિશેષ હશે.” આથી તેને શાસન પ્રત્યે પક્ષપાત થાય છે. જેમ રંકને ખાવા માટે આર્યસુહસ્તિ મહારાજાએ દીક્ષા આપી અને અતિશય ખાવાથી જ્યારે તેને દેહની પીડા ઉત્પન્ન થાય છે, ત્યારે જે શેઠિયાઓ ભિખારી અવસ્થામાં તેની સામે પણ જોતા ન હતા, તે આજે તેની ભક્તિ કરે છે, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy