________________
દાનહાવિંશિકા/શ્લોક-૪
૨૧ તેવાં ઈષ્ટકર્મોમાં ઘણા જીવોના દુઃખને દૂર કરી અલ્પજીવોને પીડા થાય તેવું કૃત્ય નથી, પરંતુ ઘણા જીવોની હિંસાપૂર્વક અર્થાત્ પશુવધાદિ નહીં પણ યજ્ઞની ક્રિયામાં થતી અગ્નિ આદિ જીવોની હિંસાપૂર્વક યજ્ઞ કરાવનારને વેદવચન પ્રમાણે ઈષ્ટ એવું ફળ પ્રાપ્ત થાય છે, તેથી તે અનુષ્ઠાનમાં અનુકંપા નથી, તેમ બતાવેલ છે.
પૂર્ત એટલે જેનાથી અન્ય જીવોને પૂર્તિ થાય તે પૂર્ત કહેવાય. વાવડીઓ, કૂવાઓ, તળાવો વગેરે ખોદાવવાથી અન્ય જીવોને જલાદિની પ્રાપ્તિરૂપ પૂર્તિ થાય છે અથવા દેવતાનાં આયતનો કરાવવાથી અન્ય જીવોને દેવતાની પૂજા વગેરે કરવાની અનુકૂળતાની પ્રાપ્તિ થાય છે, તેથી તે પૂર્ત કર્મ છે; અને આ દેવાયતનમાં જિનમંદિરના નિર્માણનો પણ સંગ્રહ છે અને અન્નપ્રદાનમાં કારણિક દાનશાળાનો પણ સંગ્રહ છે. તેથી એ પ્રાપ્ત થાય કે લોકોને ઉપકાર થાય તેવાં કોઈપણ કૃત્યો પૂર્તમાં સંગૃહીત છે. પરંતુ આ જે લોકમાં કૂવા વગેરે ખોદાવવાની ક્રિયા કે દેવાયતનોને બનાવવાની ક્રિયા કે દાનશાળાની ક્વિા લોકોને બીજાધાનાદિનું કારણ ન હોય તો તેમાં લોકોને જલાદિની પ્રાપ્તિરૂપ અલ્પ લાભ છે અને ઘણા જીવોની હિંસા છે, માટે તે સ્થાનમાં અનુકંપા સંગત નથી; જ્યારે કારણિક દાનશાળામાં કે વિવેકપૂર્વકની જિનભવનનિર્માણની ક્રિયામાં શ્રાવકને એવો અધ્યવસાય હોય છે કે, “આ નિમિત્તને પામીને લોકો ભગવાનના ધર્મ પ્રત્યે બહુમાનવાળા થાઓ અને બીજાધાનાદિની પ્રાપ્તિ દ્વારા ક્રમસર સંયમને પ્રાપ્ત કરીને છકાયના જીવોનું રક્ષણ કરનારા બનો” - આવો નિર્મળ અધ્યવસાય ઘણા જીવોના દુઃખને દૂર કરવાના પરિણામવાળો હોવાથી અનુકંપારૂપ છે. તેથી ત્યાં અનુકંપા સંગત છે.
અહીં ઈષ્ટ અને પૂર્ત શબ્દથી જેમ લૌકિક ઈષ્ટ અને પૂર્ત કર્મ અભિપ્રેત છે, તેમ લોકોત્તર એવા ઈષ્ટ અને પૂર્ત કર્મ પણ અભિપ્રેત છે; કેમ કે “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં શ્લોક-૧૧૫-૧૧૧-૧૧૭માં ઈષ્ટાપૂર્ત કર્મનું સ્વરૂપ બતાવ્યું અને ત્યાર પછી શ્લોક-૧૨૩ની ટીકામાં સદ્અનુષ્ઠાનનું લક્ષણ બતાવતાં કહ્યું કે “ઈષ્ટાદિમાં યત્નાતિશયરૂપ આદર અનુષ્ઠાનનું લક્ષણ છે” – આ કથનથી એ નિર્ણય થાય છે કે જેમ લૌકિક ઈષ્ટપૂર્તકર્મ છે, તેમ મનુષ્ઠાન પણ ઈષ્ટ અને પૂર્તરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org