________________
દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૩
૧૭
સમ્યક્ત્વની શુદ્ધિ થાય છે. તેથી સમ્યક્ત્વની શુદ્ધિનો અર્થી જીવ પણ ભગવાનની પૂજા કરે છે.
વળી સમ્યકૃત્વ અનુકંપાલિંગવાળું છે; કેમ કે જીવમાં તત્ત્વને જોવાની દૃષ્ટિ પ્રગટે ત્યારે તેને વિચાર આવે છે કે ‘મનુષ્યભવને પામીને સંયમમાં યત્ન ક૨વો જોઈએ, જેથી છકાયના જીવોનું રક્ષણ થાય.' તેથી પોતાનામાં સંયમનો પરિણામ પ્રગટે, તે માટે પણ શ્રાવક પૂજા કરે છે, જે સંયમનો પરિણામ છકાયના જીવો પ્રત્યેની અનુકંપાના પરિણામવાળો છે. વળી શ્રાવક વિચારે છે કે ‘જો જગતના જીવોને આ લોકોત્તમ શાસન મળે તો તેને પામીને સર્વ યોગ્ય જીવો છકાયના ૨ક્ષક બને. માટે હું તે રીતે ભગવાનની પૂજા કરું કે જેથી મારી પૂજાને જોઈને યોગ્ય જીવોને ભગવાનનું શાસન મળે અને સંયમ ગ્રહણ કરીને છકાયના રક્ષક બને.' આવા પ્રકારનો અનુકંપાનો પરિણામ સમ્યગ્દષ્ટિને હોય છે. તેથી સમ્યકૃત્વનું અનુકંપા લિંગ છે. માટે પૂજા કરીને સમ્યકૃત્વની શુદ્ધિ કરવા માટે યત્ન કરાય છે, જે યત્નથી હૈયામાં અનુકંપાનો પરિણામ પણ પ્રકર્ષવાળો બને છે. તેથી જેમ ભગવાનની પૂજા સમ્યકૃત્વની શુદ્ધિ માટે છે, તેમ હૈયામાં અનુકંપા પેદા ક૨વા અર્થે પણ છે.
આથી વિવેકી શ્રાવક ભગવાનની ભક્તિ કરે છે ત્યારે, ભગવાનની ભક્તિ સમયે વર્તતા ભગવાનના વીતરાગાદિ ભાવોમાં ઉપયોગને કારણે સમ્યકૃત્વની શુદ્ધિ કરે છે, તેમ જગતના જીવોને આ ભગવાનનું શાસન પ્રાપ્ત થાઓ, તેવો વિવેક પણ ધારણ કરે છે, જેથી તેની વિધિને જોઈને યોગ્ય જીવોને એ અધ્યવસાય થાય કે, ‘આ ભગવાનના શાસનમાં કેવી વિવેકવાળી પ્રવૃત્તિ છે કે જેથી આ શ્રાવક આ રીતે વિવેકપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે !' અને આ રીતે પ્રતિબોધ પામીને તે યોગ્ય જીવો પણ છકાયના રક્ષણવાળા થશે. ભગવાનની પૂજાની પ્રવૃત્તિ સમયે થતા અધ્યવસાયો :
(૧) ભગવાનની ભક્તિનો અધ્યવસાય.
(૨) સમ્યક્ત્વની શુદ્ધિનો અધ્યવસાય.
(૩)‘યોગ્ય જીવોને ભગવાનના શાસનની પ્રાપ્તિ થાઓ' તેવો અધ્યવસાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org