________________
૧૬
દાનહાનિંશિકા/શ્લોક-૩ કરીને એવું કરું કે જેથી મારી પૂજાથી જેમ મારું કલ્યાણ થાય તેમ યોગ્ય જીવોને પણ ભગવાનના શાસનની પ્રાપ્તિ થાય અને ભગવાનના શાસનને સ્વીકારીને સંયમ ગ્રહણ કરી છકાયના જીવોનું રક્ષણ કરે.” આ પ્રકારના અધ્યવસાયપૂર્વક શ્રાવક પૂજા કરે છે ત્યારે પુષ્પાદિ જીવોની જે હિંસા થાય છે, તેમાં અલ્પ જીવોને પીડા થાય છે તેના કરતાં ઘણા અધિક જીવોની પીડાનો પરિહાર પણ થાય છે; કેમ કે ભગવાનની પૂજાથી પ્રતિબોધ પામેલા યોગ્ય જીવો જે રીતે છકાયના જીવોનું પાલન કરશે, તેનાથી જે અહિંસાની પરંપરાની પ્રાપ્તિ થશે, તે સર્વ આ પૂજાની ક્રિયા વિના સંભવિત નથી. વળી પૂજાની ક્રિયા કરતાં પણ જે થોડા જીવોને પીડા થાય છે, એ પણ શ્રાવકને ઈષ્ટ તો નથી જ, તોપણ તે હિંસા બળવાન અનિષ્ટના ફળવાળી નથી; કેમ કે તે જીવોને પીડા થયા સિવાય ભગવાનની પૂજાનો સંભવ નથી, અને ભગવાનની પૂજાની પ્રવૃત્તિથી જે રીતે જગતમાં ભગવાનના શાસનની વૃદ્ધિ થશે અને તેના કારણે ઘણા જીવો આ શાસનને પામીને છકાયનું પાલન કરશે, એ અન્ય રીતે સંભવિત નથી. તેથી પૂજામાં થતી હિંસા બલવદૂ-અનિષ્ટ-અનનુબંધી છે અર્થાત્ બળવાન અનિષ્ટ ફળવાળી નથી અને દુઃખી એવા છકાયના જીવોના દુઃખના ઉદ્ધારના વિષયવાળી છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાનની પૂજા તો ભક્તિઅનુષ્ઠાન છે અને પૂજાનો આશય તો ગુણવાન એવા ભગવાનની ભક્તિ કરીને પોતાનામાં ગુણપ્રાપ્તિ કરવાનો છે, તેથી પૂજાના અનુષ્ઠાનને અનુકંપાનું અનુષ્ઠાન કેમ કહ્યું? તેથી કહે છે –
પૂજાનું અનુષ્ઠાન સમ્યક્ત્વની શુદ્ધિ માટે છે અને અનુકંપા સભ્યત્વનું લિંગ છે. તેથી અનુકંપાઅર્થક પણ પૂજાનું અનુષ્ઠાન છે.
આશય એ છે કે પૂજાનું અનુષ્ઠાન ભગવાનની ભક્તિ કરીને સર્વવિરતિની પ્રાપ્તિ કરવા અર્થક છે કે જેથી શીધ્ર મોક્ષની પ્રાપ્તિ થાય. વળી પૂજાકાળમાં ભગવાનના ગુણોમાં ઉપયોગ હોવાથી વીતરાગ પ્રત્યેની રુચિ અતિશયિત થાય છે, જે સમ્યક્ત્વની પ્રાપ્તિનું કે શુદ્ધિનું કારણ છે; કેમ કે તત્ત્વને જોવાથી તત્ત્વને દેખાડનાર દૃષ્ટિ નિર્મળ બને છે, અને ભગવાનની પૂજા કરતી વખતે વિવેકીને ભગવાનના પારમાર્થિક સ્વરૂપની ઉપસ્થિતિ હોય છે, જેનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org