________________
દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૩
૧૩
અહીં ‘અષ્ટકપ્રકરણ’ની વૃત્તિ દ્વારા સાધુમાં અનુકંપાદાન સંભવે છે, એમ સ્થાપન કર્યું, એ નિશ્ચયનયનું વચન છે; અને એ નયના મત પ્રમાણે જેમ અનુકંપ્ય વ્યક્તિમાં અનુકંપાદાન સંભવે છે, તેમ સુપાત્રમાં પણ અનુકંપાદાન સંભવે છે.
આનાથી એ ફલિત થયું કે સુપાત્રને તેમનાં દુઃખ દૂર કરવાના આશયથી દાન આપે ત્યારે તે દાન અનુકંપાદાન છે, અને તે અનુકંપાદાન સાક્ષાત્ સાંસારિક સુખ આપનાર છે અને પરંપરાએ મોક્ષને દેનારું છે; અને સુપાત્રને જોઈને “આ સુપાત્ર છે, માટે તેમની ભક્તિ કરીને હું પણ તેમની જેમ સંયમને અનુકૂળ શક્તિ ઉત્પન્ન કરું કે જેથી આ મહાત્માની જેમ હું પણ આ સંસારસાગરથી પાર પામું” - આવા આશયથી દાન કરે તે સુપાત્રદાન છે અને તે દાન સાક્ષાત્ નિર્જરા ક૨ાવીને મોક્ષનું કારણ બને છે. આમ નિશ્ચયનયથી સુપાત્રને અપાતું દાન એક અપેક્ષાએ અનુકંપાદાન અને અન્ય અપેક્ષાએ સુપાત્રદાન છે. ૨॥ અવતરણિકાર્ય :
પ્રથમ શ્લોકમાં અનુકંપાદાન અને સુપાત્રદાનનું ફળ બતાવ્યું. હવે અનુકંપાદાનનું સ્વરૂપ બતાવે છે
-
શ્લોક ઃ
तत्राद्या दुःखिनां दुःखोद्दिधीर्षाल्पासुखश्रमात् । पृथिव्यादौ जिनार्चादौ यथा तदनुकम्पिनाम् || ३॥
અન્વયાર્થ :
તત્ર=ત્યાં=ભક્તિ અને અનુકંપામાં અપાતુશ્રમાત્=અલ્પજીવોને અસુખ થાય તેવા પ્રકારના શ્રમથી યત્નથી, દુલિનાં દુઃખીઓનાં, દુ:ોનિીવા=દુઃખના ઉદ્ધારની ઈચ્છા બાઘા=અનુકંપા છે; ચથા=જે પ્રમાણે તદ્દનુમ્મિનામ્=તેના અનુકંપાવાળાઓની=પૃથ્વી આદિ જીવોના અનુકંપાવાળાઓની, રૃચિવ્યાનો= પૃથ્વી આદિ વિષયક બિનાર્વાì=જિનપૂજાદિમાં અનુકંપા છે. ।।૩।
શ્લોકાર્થ :
ત્યાં=ભક્તિ અને અનુકંપામાં, અલ્પ જીવોને અસુખ થાય તેવા પ્રકારના યત્નથી, દુઃખીઓનાં દુઃખોના ઉદ્ધારની ઈચ્છા આધા= અનુકંપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org