________________
૧૦
દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૨
ક૨વો જોઈએ’ અર્થાત્ ‘તેઓ મારા કરતાં હીન છે અને હું પાલનકર્તા છું’ - આવી હીનત્વબુદ્ધિ અતિચારને પેદા કરાવનારી છે. પરંતુ સાધુઓ પ્રત્યે જેને હૈયામાં પૂજ્યભાવ છે અને સાધુઓનાં મલિન વસ્ત્રને જોઈને પણ તેઓ ત્યાગી છે, તપસ્વી છે માટે પૂજનીય છે, તેવી બુદ્ધિ હૈયામાં વર્તતી હોય; આમ છતાં જ્યારે ગ્લાનત્વાદિના કારણે કે ઉપસર્ગાદિના કારણે તેઓના આવેલા દુઃખને જોઈને હૈયામાં અનુકંપા થાય=તેઓનું દુઃખ દૂર કરવાનો પરિણામ થાય, તે પરિણામ દોષરૂપ નથી અર્થાત્ અતિચાર આપાદક નથી, પરંતુ પૂર્વમાં કહ્યું તે રીતે ‘પેન્દ્રશર્મ’ દેનાર છે–સાંસારિક સુખ દેનાર છે. પ્રથમ અને દ્વિતીય પક્ષ વચ્ચેનો તફાવત ઃ
(૧) પ્રથમ પક્ષ પ્રમાણે સુપાત્રમાં અનુકંપા
(૧) પ્રથમ પક્ષ પ્રમાણે સુપાત્રમાં અનુકંપા થાય છે, તેના બે ભેદ છે : (i) સ્વઅપેક્ષાએ હીનત્વબુદ્ધિથી યુક્ત :- સ્વઅપેક્ષાએ હીનપણાની બુદ્ધિથી વિશિષ્ટ સામેની વ્યક્તિના દુઃખને દૂર કરવાનો પરિણામ કે જે સમ્યકૃત્વના અતિચારરૂપ છે. (ii) સ્વઅપેક્ષાએ હીનત્વબુદ્ધિ રહિત ઃ- સ્વઅપેક્ષાએ હીનપણાની બુદ્ધિ વિના માત્ર સાધુમાં રહેલ દુઃખોને દૂર કરવાનો અધ્યવસાય. આ અધ્યવસાય સુપાત્રમાં અનુકંપારૂપ હોવા છતાં સમ્યક્ત્વમાં અતિચારરૂપ નથી, પરંતુ સાંસારિક સુખ આપનાર છે.
-:
(૨) દ્વિતીય પક્ષ પ્રમાણે સુપાત્રમાં અન્યથાબુદ્ધિ :- સુપાત્રમાં થયેલી અનુકંપાબુદ્ધિ અન્યથાબુદ્ધિ હોવાથી અતિચારને પેદા કરનાર છે, પરંતુ તે બુદ્ધિ સાક્ષાત્ અતિચારને પેદા કરતી નથી, પણ સુપાત્રમાં હીનત્વબુદ્ધિ પેદા કરવા દ્વારા અતિચાર પેદા કરે છે.
જેમ સંસારની ભોગાદિની પ્રવૃત્તિ ચિત્તના માલિત્યને પેદા કરવા દ્વારા કર્મબંધનું કારણ થાય છે, તેમ સુપાત્રમાં અનુકંપાબુદ્ધિ હીનત્વબુદ્ધિ પેદા કરવા દ્વારા કર્મબંધનું કારણ થાય છે. તેથી જેમ ભોગાદિની ક્રિયા વિવેકીને વર્જ્ય છે, તેમ સુપાત્રમાં અનુકંપાબુદ્ધિ પણ વર્જ્ય છે. આમ છતાં જેને સુપાત્રમાં અનુકંપા થઈ છે, તેને હીનત્વબુદ્ધિ ન થાય તો અતિચારરૂપ દોષ લાગે નહીં.
સુપાત્રમાં થયેલી અનુકંપાબુદ્ધિ અન્યથાબુદ્ધિ હોવાથી હીનત્વબુદ્ધિ ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org