SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ દાનહાનિંશિકા/શ્લોક-૨ ટીકાર્ય - ઉપરે સ્વાદુ - તત્ર રોષત્વિાન્ ! બીજા વળી કહે છે – ત્યાં સુપાત્રમાં, પૂર્વમાં કહેલ સિવિશેષણ એવું અનુકંપ્યત્વ=ીનત્વે તિ' વિશેષણથી રહિત “વૈષ્ણોદ્ધારતિયોગિકુવાશ્રયસ્વરૂપનુવાખ્યત્વે, પ્રતીયમાન=પ્રતીત થતું, સાહચર્યાદિ દોષથી=માગતારા આદિમાં વર્તતા હીતપણાના સાહચર્યાદિ દોષથી, જયારે હીનત્યબુદ્ધિ ઉત્પન્ન કરે છે સુપાત્રમાં હીતપણાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે, ત્યારે જ અતિચાર આપાદક છે. સચવા સુપાત્રમાં હીરપણાની બુદ્ધિ ઉત્પન્ન ન કરે ત્યારે જ અતિચાર આપાદક નથી; કેમ કે અન્યથાબુદ્ધિના=અનુકંપ્યમાં સુપાત્રની બુદ્ધિના કે સુપાત્રમાં અનુકંપ્યત્વની બુદ્ધિના, હીતમાં ઉત્કર્ષની બુદ્ધિના અને ઉત્કૃષ્ટમાં અપકર્ષની બુદ્ધિના આધાન દ્વારા જ દોષપણું છે. ભાવાર્થ : બીજાના મત પ્રમાણે કોઈના પણ દુઃખના ઉદ્ધારનો પરિણામ તે અનુકંપા છે અને તે અનુકંપા હીનપણાના સાહચર્યાદિ દોષને કારણે હીનબુદ્ધિ ઉત્પન્ન કરવા દ્વારા સમ્યક્ત્વના અતિચારને ઉત્પન્ન કરે છે, અને આ દોષને કારણે હીનત્વબુદ્ધિ ઉત્પન્ન ન થાય તો સુપાત્રમાં પણ અનુકંપાની બુદ્ધિ દોષરૂપ નથી; કેમ કે અનુકંપ્યમાં સુપાત્રબુદ્ધિ હીનમાં ઉત્કર્ષની બુદ્ધિ ઉત્પન્ન કરવા દ્વારા દોષરૂપ છે અને સુપાત્રમાં અનુકંપ્યત્વની બુદ્ધિ ઉત્કૃષ્ટ એવા સુપાત્રમાં અપકર્ષની બુદ્ધિ ઉત્પન્ન કરવા દ્વારા દોષરૂપ છે. આશય એ છે કે સુપાત્રમાં અનુકંપ્યત્વની બુદ્ધિ તે અન્યથાબુદ્ધિ છે, તો પણ જે વ્યક્તિને માગનારા સાથે સાધુઓનું સાહચર્ય છે અર્થાત્ જેમ માગનારાઓ માગવા માટે આવે છે, તેમ સાધુઓ પણ યાચના કરવા માટે આવે છે એ રૂપ સાહચર્ય છે, એ પ્રકારની બુદ્ધિ ન થાય, અને સાધુઓના મલિન વસ્ત્રને કારણે તેઓમાં હીનત્વબુદ્ધિ ન થાય અને માત્ર તેમના દુઃખને દૂર કરવાનો પરિણામ થાય તો તે દોષરૂપ નથી. પરંતુ જ્યારે કોઈક શ્રાવકને સાધુના ગ્લાનાદિ ભાવો જોઈને અનુકંપાબુદ્ધિ થાય અને તે અનુકંપાબુદ્ધિથી એવી બુદ્ધિ થાય કે “માગનારા બધાનું હું પાલન કરનારો છું અને આ ગ્લાનાદિ સાધુ પણ યાચના કરનાર છે, માટે હું તેમનું પણ પાલન કરનારો છું, માટે મારે તેમના પાલન માટે યત્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy