________________
.
દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૨
પ્રયત્ન કરે છે, તો અહીં ગુણવાન એવા સાધુના પણ દુઃખને દૂર કરવાનો પરિણામ થાય તો તે અનુચિત નથી. પરંતુ જ્યારે ‘આ સાધુઓ મારાથી હીન છે,' તેવી બુદ્ધિપૂર્વક સાધુઓના દુઃખને દૂર કરવાનો પરિણામ કરે તો તે દોષરૂપ છે; કેમ કે ગુણવાન એવા સુપાત્રમાં પોતાનાથી હીનપણાની બુદ્ધિ તે મિથ્યારૂપ છે, માટે તેવી બુદ્ધિ સમ્યક્ત્વમાં અતિચારનું આપાદન કરે છે; અને પ્રસ્તુત ગાથામાં પોતાની અપેક્ષાએ હીનબુદ્ધિપૂર્વક સુપાત્રમાં અનુકંપાબુદ્ધિને ગ્રહણ કરીને, દાતાને અતિચાર આપાદક કહેલ છે, માટે કોઈ દોષ નથી.
‘પ્રતિયો↑’ શબ્દ ષષ્ઠી વિભક્તિના અર્થમાં વપરાય છે; કેમ કે ‘પશ્ર્ચર્થ પ્રતિયોભિત્વ’ - એ પ્રમાણેનું વચન છે. તેથી એ પ્રાપ્ત થાય કે ‘જેનો ઉદ્ધાર તે પ્રતિયોગી.’ જેમ પ્રસ્તુતમાં ગ્લાનાદિ સાધુમાં રહેલ જે દુઃખ છે, તેનો ઉદ્ધાર કરવાનો પરિણામ થાય છે, ત્યારે તે દુઃખ પોતાને ઈષ્ટ ઉદ્ધારનું પ્રતિયોગી બને છે; અને તે દુઃખનો આશ્રય તે ગ્લાન સાધુ છે અને તે સાધુમાં રહેલ દુઃખાશ્રયત્વરૂપ ધર્મ અનુકંપ્યત્વ ધર્મ છે, અને તેવા ધર્મને આશ્રયીને કોઈ વ્યક્તિને અનુકંપાબુદ્ધિ થાય તો તે દોષરૂપ નથી, એ પ્રકારનો ભાવ છે. પરંતુ ક્યારેક કોઈક વ્યક્તિને એવો પરિણામ પણ થાય કે, ‘હું આ બધા સાધુઓની સંભાળ ક૨ના૨ છું, હું આ બધા સાધુઓનું પાલન કરનાર છું, તેથી હું અધિક છું અને તેઓ મારા આશ્રિત છે, મારા ઉપર જીવે છે,' એવી બુદ્ધિપૂર્વક સાધુઓ પ્રત્યે અનુકંપાબુદ્ધિ થાય તો તે દોષરૂપ છે; કેમ કે વસ્તુતઃ ગુણવાન એવા સાધુ ગુણથી પોતાનાથી અધિક છે. વળી તે સાધુઓ મહાસાત્ત્વિક છે, જ્યારે પોતે તો સંયમમાં યત્ન કરી શકતો નથી, તેથી તેઓથી હીન છે. માટે તેમના પ્રત્યેનો પૂજ્યભાવ હણાય નહીં તે રીતે તેમના દુઃખને જોઈને દુઃખ દૂર ક૨વાનો અભિલાષ કરે તો સમ્યક્ત્વમાં અતિચાર લાગે નહીં.
ટીકા ઃ
अपरे त्वाहुः तत्र प्रागुक्तं निर्विशेषणमनुकम्प्यत्वं प्रतीयमानं साहचर्यादिदोषेण यदा हीनत्वबुद्धिं जनयति तदैवातिचारापादकं नान्यदा, अन्यथाधियो हीनोत्कृष्टयोरुत्कर्षापकर्षबुद्धयााधानद्वारैव दोषत्वात् ।
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org