SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ દાનદ્વાચિંશિકા/શ્લોક-૨ સુપાત્રદાન નિશ્ચયનયને માન્ય એવી અપ્રમત્ત મુનિભાવરૂપ બોધિની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને. અહીં વિશેષ એ છે કે ભગવાને કહેલું અનુકંપાદાન પણ ભગવાનના વચનાનુસાર હોવાથી પરંપરાએ મોક્ષનું કારણ છે અને સુપાત્રદાન પણ બોધિની પ્રાપ્તિ દ્વારા પરંપરાએ મોક્ષનું કારણ છે; તોપણ જે દાનમાં બીજા પ્રત્યેનો અનુકંપાનો ભાવ છે, તે ભાવ ભૌતિક સુખની પ્રાપ્તિનું પ્રબળ કારણ છે અને ભગવાનના વચનાનુસારી હોવાથી પરંપરાએ મોક્ષનું કારણ છે; અને સુપાત્રદાનમાં સાક્ષાત્ ગુણવાનના ગુણો પ્રત્યે ભક્તિનો પક્ષપાત છે, તેથી સુપાત્રદાન કરવાથી ગુણોની પ્રાપ્તિમાં પ્રતિબંધક કર્મોનું વિગમન દાતારને મુખ્યતયા થાય છે, તેથી સુપાત્રદાનને સમ્યકત્વ આદિ ગુણની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ કહેલ છે. આવા અવતરણિતાર્થ - પૂર્વગાથામાં દાનના બે ભેદો બતાવ્યા અને તેનું ફળ બતાવ્યું. હવે તે બે દાનમાંથી અનુકંપાદાન ક્યાં કરવાનું છે ? અને સુપાત્રદાન ક્યાં કરવાનું છે? તેને સ્પષ્ટ કરવા અર્થે કહે છે - શ્લોક : अनुकम्पाऽनुकम्प्ये स्याद् भक्तिः पात्रे तु सङ्गता । अन्यथाधीस्तु दातृणामतिचारप्रसञ्जिका ।।२।। અન્યથાર્થ - મનુષ્પSનુવચ્ચે અનુકંપ્યમાં અનુકંપા, પાત્રે તુ મતિઃ વળી પાત્રમાં ભક્તિ, સતા ચા=સંગત થાયaઉચિત ફળ આપનારી થાય. અન્યથાથીતુ વળી અન્યથાબુદ્ધિ અનુકંપ્યમાં સુપાત્રબુદ્ધિ અને સુપાત્રમાં અનુકંપ્યબુદ્ધિ, ર =દાતારને ક્ષતિવાર સન્નિવા=અતિચારની પ્રસંજિકા છે=સમ્યકત્વના અતિચારને પ્રાપ્ત કરાવનારી છે. રા. શ્લોકાર્થ :અનુકંગમાં અનુકંપા, વળી પાત્રમાં ભક્તિ, સંગત–ઉચિત ફળને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy