SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ દાનહાત્રિશિકા/શ્લોક-૧ (૨) અનુકંપાદાન - અનુકંપાપૂર્વકનું દાન ઈંદ્ર સંબંધી સુખને આપનારું છે. અહીં “મનુષ્પાસમન્વિત’ નો અર્થ અનુકંપાયુક્ત કરવાનો નથી, પરંતુ અનુકંપાપૂર્વક કરવાનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં અનુકંપાનો અધ્યવસાય થયો હોય અને તેના પૂર્વક અપાયેલું દાન તે ઈન્દ્ર સંબંધી સુખને આપનારું છે, અન્ય અધ્યવસાયપૂર્વકનું નહીં, અર્થાત્ કીર્તિ આદિની આશંસાથી કે અન્ય આશંસાથી અપાયેલું દાન ઈન્દ્ર સંબંધી સુખને આપનારું નથી. અહીં અનુકંપાપૂર્વકનું દાન ઈન્દ્ર સંબંધી સુખને આપનારું છે, એ કથન, સાંસારિક સુખાંતરના પ્રદાનનું ઉપલક્ષણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનુકંપાથી યુક્ત દાન સંસારનાં સર્વ સુખોને આપનારું છે. અહીં પ્રશ્ન થાય કે, સાંસારિશર્મપ્ર’ એમ ન કહેતાં “ન્દ્રિશર્મવું કેમ કહ્યું ? તેથી કહે છે – પોતાને ઈષ્ટ એવું સરસ્વતીનું બીજ ‘છે, તેના પ્રણિધાન માટે તેની ઉપસ્થિતિ માટે, હેન્દ્રશર્મપ્રવં એ રીતે ઉપન્યાસ કરેલ છે, પરંતુ સાંસારિશર્મઝર્વ એમ ઉપન્યાસ કરેલ નથી. વળી ભક્તિથી કરાયેલું સુપાત્રદાન મોક્ષને દેનારું કહેવાયેલું છે. અહીં ભક્તિથી' કહેવાથી એ ફલિત થાય કે સુપાત્રમાં વર્તતા ગુણો પ્રત્યેની ભક્તિથી જો સુપાત્રદાન થયું હોય તો તે મોક્ષનું કારણ છે, પરંતુ સુપાત્રમાં વર્તતા ગુણોની ઉપસ્થિતિપૂર્વક ભક્તિ ઉલ્લસિત થઈ ન હોય અને માત્ર સુપાત્રને દાન અપાયું હોય તો તે દાન મોક્ષનું કારણ નથી. સુપાત્રદાન મોક્ષનું કારણ કેમ છે ? તેમાં યુક્તિ આપે છે – ભક્તિથી કરાયેલું સુપાત્રદાન બોધિની પ્રાપ્તિ દ્વારા મોક્ષફળવાળું છે, એમ ભગવતીસૂત્રમાં કહ્યું છે. તેથી એ ફલિત થાય કે ગુણવાન એવા સુપાત્રને ગુણવાનરૂપે ઉપસ્થિત કરીને કરાયેલી ભક્તિથી પોતાને બોધિની પ્રાપ્તિ થાય છે અને જો બોધિની પ્રાપ્તિ થયેલી હોય તો જન્માંતરમાં તેની પ્રાપ્તિ સુલભ થાય છે, અને જો ક્ષાયિકભાવની બોધિની પ્રાપ્તિ થયેલી હોય તો નૈશ્ચયિક બોધિની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મોક્ષની પ્રાપ્તિનું કારણ સુપાત્રદાન બને છે. આથી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ પણ ભક્તિથી સુપાત્રદાન કરે તો તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy