________________
દાનહાત્રિશિકા/સંકલના ઘણી નિર્જરાનું કારણ બને છે અને અલ્પ કર્મબંધનું કારણ બને છે.
જેઓ ભગવાનના શાસન પ્રમાણે તત્ત્વને જાણવા પ્રત્યે અનાદરવાળા છે અને સુસાધુને પણ અશુદ્ધ દાન આપે છે, તેવા અભિનિવિષ્ટનું સંયમીને અપાયેલું અશુદ્ધ દાન દુર્ગતિનું કારણ બને છે.
અસંયતને સુસંયતની બુદ્ધિથી અપાયેલ દાન એકાંતે કર્મબંધનું કારણ છે; આમ છતાં, અસંયમીને પણ અનુકંપાબુદ્ધિથી અપાતા દાનનો ભગવાને નિષેધ કર્યો નથી. છતાં જો અસંયમીના અસંયમની પુષ્ટિ થતી હોય તો અનુકંપાબુદ્ધિથી પણ દાન આપવાનો નિષેધ છે; કેમ કે જે દાન સામી વ્યક્તિના ઘણા અહિતનું કારણ હોય ત્યાં પરમાર્થથી અનુકંપા નથી. જેમ કોઈ માંદો માણસ અપથ્ય પદાર્થ ખાવાની ઈચ્છા કરે અને કોઈ અનુકંપાથી તેને અપથ્ય પદાર્થ ખાવા માટે આપે, તો સ્થૂલથી એ માણસ માંગે છે તો મારે આપવું જોઈએ” એવી અનુકંપા છે, પણ પરમાર્થથી તે માંદાનું અહિત કરે તેવી પ્રવૃત્તિ હોવાથી અનુકંપાદાન નથી. તેથી વિવેકીએ અનુકંપાદાન પણ તેવું કરવું જોઈએ કે જેથી સામેની વ્યક્તિના પારમાર્થિક હિતની ઉપેક્ષા થાય નહીં.
તેથી એ ફલિત થાય કે, પોતાના આર્થિક સંયોગાદિની મર્યાદા પ્રમાણે વિવેકપૂર્વક સુપાત્રને અપાયેલું દાન સુપાત્રના ગુણોની અનુમોદના દ્વારા મોક્ષનું કારણ છે.
વળી, સાધર્મિકવાત્સલ્યાદિ ક્રિયામાં આરંભ હોવાથી કોઈને શંકા થાય કે “ગમે તેવો શુભાશય હોવા છતાં જે પ્રવૃત્તિમાં આરંભ-સમારંભ છે, તે પ્રવૃત્તિના આરંભ અંશને આશ્રયીને તો કર્મબંધ થવો જોઈએ.” તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારે શ્લોક-૩૧માં સ્પષ્ટતા કરી કે “શાસ્ત્રવિધિ અનુસાર ગુણવાનની ભક્તિના અધ્યવસાયથી યુક્ત અને યતનાપૂર્વક, સાધર્મિક વાત્સલ્ય જે શ્રાવક કરતો હોય તેમાં થતી વિરાધના લેશ પણ કર્મબંધનું કારણ નથી. એટલું જ નહીં, વ્યવહારનયથી સાધર્મિકવાત્સલ્યની ક્રિયામાં થતી તે વિરાધના પણ નિર્જરાનું કારણ છે'; કેમ કે સાધર્મિકવાત્સલ્યાદિ અર્થે કરાતી ક્રિયાથી “હું આ ગુણવાનોની ભક્તિ કરીને સંસારસાગરથી તરું” એ અધ્યવસાય પુષ્ટ બને છે અને પુષ્ટ થયેલો તે અધ્યવસાય ઘણી નિર્જરા કરીને સંયમપ્રાપ્તિનું
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org