________________
દાનહાલિંશિકા/સંકલના તેમાં અનુકંપા સ્વીકારેલ છે. તેથી અર્થથી એ ફલિત થાય કે જે અનુકંપાદાનથી યોગ્ય જીવોને બીજાધાન થાય તેવું હોય, અથવા જે અનુકંપાદાન ન કરવામાં આવે તો શાસનનું માલિન્ય થાય કે જેથી ઘણા જીવોનું અહિત થાય તેમ હોય, તેવા સમયે ભગવાને અનુકંપાદાનનો નિષેધ કરેલ નથી. જેમ કોઈ અનુકંપાના નિમિત્તે ધનસંચયનો પ્રયત્ન લોકમાં થતો હોય, અને શ્રાવક કહે કે “આવી અનુકંપા અમે કરતા નથી' તો શિષ્ટ લોકને પણ લાગે કે “આ ધર્મ બીજા જીવોની પીડાને પણ જોનાર નથી, તેથી દુ:ખી જીવોનાં દુઃખને દૂર કરવા માટે પણ દાન આપવાનો નિષેધ કરે છે અને તે સમયે લોકોમાં આ ધર્મની હીનતા દેખાય તો કોઈક જીવને ધર્મની અપ્રાપ્તિનું કારણ બને કે દુર્લભબોધિનું કારણ બને. તેના નિવારણ અર્થે વિવેકી શ્રાવક તે અનુકંપાના કાર્યમાં પણ શક્ય સહાયક બને, કે જેથી લોકોને લાગે કે આ ભગવાનનું શાસન બીજા જીવોના દુઃખના નિવારણ માટે પણ યત્નવાળું છે; અને આને સામે રાખીને ભગવાને ક્યાંય અનુકંપાનો નિષેધ કર્યો નથી, એ પ્રકારનું વચન છે. તેથી આવા સ્થાનમાં શાસનના માલિન્કના પરિવાર અર્થે પણ અનુકંપાદાન કરવાનો વિધિ છે. આથી કોઈને બીજાધાન થાય તેવું જણાય ત્યારે સાધુ પણ અપવાદથી અનુકંપાદાન કરે છે, માટે ભગવાને પણ બ્રાહ્મણને બીજાધાન અર્થે અપવાદિક અનુકંપાદાન કર્યું છે. (૨) સુપાત્રદાન -
ગુણવાન પાત્રને ગુણવાનરૂપે જાણીને તેમની ભક્તિના આશયથી સુપાત્રદાન કરવામાં આવે છે. તેથી સુપાત્રદાન સાક્ષાત્ ગુણનિષ્પત્તિ દ્વારા મોક્ષનું કારણ છે.
આ સુપાત્રદાન પણ ઉત્સર્ગથી સાધુને નિર્દોષ આહારાદિના દાનરૂપ છે અને અપવાદથી સંયમવૃદ્ધિના અર્થે વિવેકપૂર્વક આપવામાં આવે તો અશુદ્ધ આહારાદિના દાનરૂપ પણ છે.
મુગ્ધ જીવો ક્યારે શુદ્ધ દાન આપવું અને ક્યારે અશુદ્ધ દાન આપવું તેવા વિવેકવાળા નથી, તોપણ “ગુણવાનની ભક્તિ કરીને હું મારા આત્માનું હિત સાધુ” – તેવા નિર્મળ અધ્યવસાયવાળા છે. તેઓનું સુપાત્રને અશુદ્ધ દાન પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org