SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ દાનહાત્રિશિકા/શ્લોક-૩૧ બીજી યુક્તિથી બતાવવા માટે ધર્મસાગરજી “સથ' થી કહે છે – ટીકા - . अथ वर्जनाभिप्रायेण जीवघातपरिणामजन्यत्वलक्षणं स्वरूपमेव विराधनायास्त्याज्यतेऽतो नेयमसती प्रतिबन्धिकेति चेत्, किमेतद्विराधनापदप्रवृत्तिनिमित्तं विशेषणं वा? आद्ये प्रवृत्तिनिमित्तं नास्ति, पदं चोच्यत इत्ययमुन्मत्तप्रलापः, अन्त्ये चोक्तदोषतादवस्थ्यमिति शिष्यध्यन्धनमात्रमेतत् । ટીકાર્ય : ઉથ વર્તનમાળ ...શિષ્યધ્યસ્થનમાત્રમે આ વર્જનાઅભિપ્રાયથી જીવઘાતપરિણામજચત્વરૂપ વિરાધનાનું સ્વરૂપ જ ત્યાગ કરાય છે. આથી અવિદ્યમાન એવી આ=સ્વરૂપ વગરની એવી જીવવિરાધના, પ્રતિબંધક નથી, એ પ્રમાણે જો ધર્મસાગરજી કહે તો ગ્રંથકાર કહે છે કે આ=જીવઘાતપરિણામજચત્વરૂપ વિરાધનાનું સ્વરૂપ, વિરાધનાપદની પ્રવૃત્તિનું નિમિત છે ? કે વિશેષણ છે ?=વિરાધનાપદનું વિશેષણ છે ? આધમાં=પ્રથમ વિકલ્પમાં અર્થાત્ જીવઘાતપરિણામજન્યત્વરૂપ વિરાધનાનું સ્વરૂપ વિરાધનાપદની પ્રવૃત્તિનું નિમિત છે, એ પ્રકારના પ્રથમ વિકલ્પમાં, પ્રવૃતિનિમિત્ત નથી=સાધર્મિકવાત્સલ્યાદિમાં જીવઘાતપરિણામજન્યત્વરૂપ વિરાધનાપદની પ્રવૃત્તિનું નિમિત નથી અને પદ કહેવાય છે વિરાધના પદ છે, એમ કહેવાય છે, એ પ્રકારનો આ ઉન્મત્ત પ્રલાપ છે=ધર્મસાગરજીનો આ પ્રલાપ ઉન્મતનો પ્રલાપ છે. અને અંત્યમાં=જીવઘાતપરિણામજન્યત્વલક્ષણ વિરાધનાનું સ્વરૂપ વિરાધનાનું વિશેષણ છે, એ પ્રકારના બીજા વિકલ્પમાં, ઉક્ત દોષ તાદવાણ્ય છે પૂર્વમાં વિશિષ્ટાભાવના ત્રણ વિકલ્પો પાડી જે દોષો બતાવ્યા, તે દોષો પ્રાપ્ત થાય છે. એથી આ=બીજો વિકલ્પ, શિષ્યની બુદ્ધિનું અંધનમાત્ર છે, અર્થાત્ પ્રતિબંધકાભાવવિધયા વિરાધનાને નિર્જરા પ્રત્યે કારણ માનવામાં દોષ પૂર્વમાં બતાવેલ તે દૂર કરવા પૂર્વપક્ષી ફરી બીજા શબ્દોથી તે કથન કહે છે. તેથી પોતાના શિષ્યોને સંતોષ આપવા ઊંઠા ભણાવવાની ક્રિયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy