________________
દાનહાલિંશિકા/બ્લોક-રપ ક્ષુલ્લકભવગ્રહણરૂપ અલ્પતાનો સૂત્રાતરની સાથે વિરોધ હોવાને કારણે અસંભવ હોવાથી ક્ષુલ્લકભવને આશ્રયીને અલ્પઆયુષ્યકહેતતા નથી, એમ અવય છે. એ પ્રમાણે આ શુદ્ધ દાયકની અપેક્ષાએ અશુદ્ધ દાયક એવા મુગ્ધમાં અલ્પઆયુષકહેતુતા છે એ, અને મૂત્રાન્તરનો વિરોધ હોવાને કારણે ક્ષુલ્લકભવગ્રહણરૂપ અલ્પતા ગ્રહણ કરવાની નથી એ, સ્થાનાંગવૃત્તિ આદિમાં વ્યક્ત છે કહેવાયેલ છે. ગરપા ભાવાર્થ :
સંયતને અશુદ્ધ દાન આપનાર વિવેકી શ્રાવક અને સંયતને અશુદ્ધ દાન આપનાર મુગ્ધ શ્રાવકના આશયના ભેદથી પૂર્વમાં ફળનો ભેદ બતાવ્યો, એ રીતે આશયના ભેદથી સંયતના અશુદ્ધ દાનને કહેનાર રસ્થાનાંગસૂત્રનું કથન સંગત થાય છે. સ્થાનાંગસૂત્રમાં કહેલ છે કે સંયતને જે અશુદ્ધ દાન આપે તે શુભ અલ્પ આયુષ્ય બાંધે અથવા અશુભ દીર્ધાયુષ્ય બાંધે.
તેથી એ ફલિત થાય કે સ્થાનાંગસૂત્રનું કથન મુગ્ધ જીવને આશ્રયીને, શુભ ગતિને આશ્રયીને અલ્પ આયુષ્યનો હેતુ છે, અને અભિનિવિષ્ટને આશ્રયીને અશુભ દીર્ધાયુષ્યનો હેતુ છે; કેમ કે મુગ્ધને સુસાધુની ભક્તિ કરીને તરવાનો આશય છે અને શાસ્ત્રવિરુદ્ધ કરવાનો અધ્યવસાય નથી, પરંતુ અજ્ઞાનને કારણે વિવેક વગરની તેની પ્રવૃત્તિ છે. આમ છતાં વિવેકને પેદા કરવાની સામગ્રી મળે તો શાસ્ત્રાનુસારી કરવાની વૃત્તિવાળો છે, પરંતુ પોતાની પ્રવૃત્તિમાં અભિનિવેશવાળો=કદાગ્રહવાળો, નથી, માટે સુસાધુને અશુદ્ધ દાન આપતો હોવા છતાં પણ શુભ ગતિનું અલ્પ આયુષ્ય બાંધે છે.
અહીં પ્રશ્ન થાય કે શુભ ગતિનું અલ્પ આયુષ્ય કોની અપેક્ષાએ બાંધે છે ? તેથી ટીકાકારે ખુલાસો કર્યો કે, શુદ્ધ દાયક એવા વિવેકીની અપેક્ષાએ અશુદ્ધ દાયક એવા મુગ્ધમાં શુભ અલ્પ આયુષ્યના બંધનો સંભવ છે.
તેથી એ ફલિત થાય કે સંયતને શુદ્ધ દાન આપનાર શુભ ગતિનું દીર્થ આયુષ્ય બાંધતો હોય તેની અપેક્ષાએ સંયતને અશુદ્ધ દાન આપનાર મુગ્ધ શુભ ગતિના અલ્પ આયુષ્યનો બંધ કરે છે.
અભિનિવિષ્ટ સ્વમતિ પ્રમાણે પ્રવૃત્તિ કરવાની વૃત્તિવાળો છે. તેથી સંયતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org