________________
દાન દ્વાચિંશિકા/શ્લોક-૨૫ શ્લોકાર્ય :
આ પ્રકારે વિવેકી દાયક અને મુગ્ધ દાયકના આશયના ભેદથી ફળનો ભેદ છે એ પ્રકારે, આશયના વૈચિત્ર્યથી સંયતને અશુદ્ધ દાનમાં, અલ્પ આયુષ્યની કારણતા અને અશુભ દીર્ઘ આયુષ્યની કારણતા સ્થાનાંગસૂત્રમાં બતાવાયેલી યુક્ત છે. રિપો ટીકા -
इत्थमिति-इत्थम् अमुना प्रकारेण । आशयवैचित्र्याद=भावभेदात् । अत्रसंयताशुद्धदाने, अल्पायुष्कहेतुताशुभदीर्घायुर्हेतुता च, सूत्रदर्शिता स्थानाङ्गायुक्ता, युक्ता, मुग्धाभिनिविष्टयोरेतदुपपत्तेः । शुद्धदायकापेक्षयाऽशुद्धदायके मुग्धेऽल्पशुभायुर्बन्धसम्भवात्, क्षुल्लकभवग्रहणरूपाया अल्पतायाश्च सूत्रान्तरविरोधेनासम्भवादिति व्यक्तमदः स्थानाङ्गवृत्त्यादौ ।।२५।। ટીકાર્ચ -
રૂત્થામુના .. થાનાવૃત્યાર Tોરા રૂF=આ પ્રકારે=વિવેકી દાયક અને મુગ્ધ દાયકાના આશયના ભેદથી ફળનો ભેદ છે એ પ્રકારે, આશયના વૈચિત્રથી=ભાવના ભેદથી, અહીં=સંયતને અશુદ્ધ દાનમાં, સૂત્રમાં બતાવાયેલી=સ્થાનાંગસૂત્રમાં કહેવાયેલી, (શુભ) અલ્પ આયુષ્યની કારણતા અને અશુભ દીર્ઘ આયુષ્યની કારણતા યુક્ત છે; કેમ કે મુગ્ધ અને અભિનિવિષ્યમાં આની=અલ્પ આયુષ્યની કારણતાની અને અશુભ દીર્ઘ આયુષ્યની કારણતાની, ઉપપત્તિ છે=સંગતિ છે.
અહીં પ્રશ્ન થાય કે સંયતને અશુદ્ધ દાન આપનાર મુગ્ધને સ્થાનાંગ સૂત્રમાં અલ્પઆયુષ્ય કહેતતા કહી, તે કઈ અપેક્ષાએ છે ? તેથી કહે છે –
સંયતને શુદ્ધ દાન દેનારની અપેક્ષાએ, અશુદ્ધ દાયક એવા મુગ્ધને અલ્પ શુભ આયુષ્યના બંધનો સંભવ હોવાથી મુગ્ધને આશ્રયીને અલ્પઆયુષ્ય કહેતતા સ્થાનાંગસૂત્રમાં કહી છે, એમ અન્વય છે.
અહીં પ્રશ્ન થાય કે, અલ્પઆયુષ્યકહેતુતા ક્ષુલ્લકભવને આશ્રયીને કહીએ તો શું વાંધો ? તેથી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org