SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ CO દાનહાવિંશિકા/શ્લોક-૨૫ ભાવિત થયેલા અને દાનને કહેનારા શાસ્ત્રનો શું પરમાર્થ છે, તે જેણે ગ્રહણ કર્યો નથી, તેવો ગૃહસ્થ, સંયમી સાધુની ભક્તિના આશયથી અશુદ્ધ દાન આપે તો તેને અલ્પ પાપબંધ અને ઘણી નિર્જરા થાય છે; કેમ કે મુગ્ધ હોવાને કારણે શાસ્ત્રથી વિપરીત કરવાની વૃત્તિવાળો નથી, પરંતુ મહાત્માઓની ભક્તિ કરીને કલ્યાણના આશયવાળો છે. તેથી મહાત્માઓની ભક્તિ કરીને કલ્યાણ કરવાના આશયને કારણે ઘણી નિર્જરા થાય છે અને શાસ્ત્રનો સમ્યગુ બોધ નહીં હોવાને કારણે અજ્ઞાનકૃત અલ્પ બંધ થાય છે. માટે સંયતને અપાતા અશુદ્ધ દાનમાં બે વિકલ્પ પ્રાપ્ત થાય છે : (૧) વિવેકી શ્રાવક કારણે સંયતને અશુદ્ધ દાન આપે તો પ્રથમ ભાંગાની જેમ દાનનું પૂર્ણ ફળ મળે છે. (૨) મુગ્ધ ગૃહસ્થ સંયતને અશુદ્ધ દાન આપીને ઘણી નિર્જરા અને અલ્પ કર્મબંધ કરે છે. આ બીજા વિકલ્પની અપેક્ષાએ ભગવતીનું કથન છે. રજા અવતરણિકા : પૂર્વમાં સ્થાપન કર્યું કે પાત્રને અશુદ્ધ દાન આપવામાં વિવેકી શ્રાવકને પૂર્ણ દાનનું ફળ મળે છે અને મુગ્ધ શ્રાવકને અલ્પ કર્મબંધ અને ઘણી નિર્જરા થાય છે, તેનું કારણ વિવેકી શ્રાવક અને મુગ્ધદાયકના આશયનો ભેદ છે. તેથી આશયના ભેદથી ફળનો ભેદ છે. તેની પુષ્ટિ કરવા માટે કહે છે - બ્લોક : इत्थमाशयवैचित्र्यादत्राल्पायुष्कहेतुता । युक्ता चाशुभदीर्घायुर्हेतुता सूत्रदर्शिता ।।२५।। અન્વયાર્થ : રૂલ્યઆ પ્રકારે વિવેકીદાયક અને મુગ્ધ દાયકનાઆશયના ભેદથી ળનો ભેદ છે એ પ્રકારે,સારા વિચા—આશયના વૈચિચથી ભાવના વૈચિત્રથી, ૩ત્ર=અહીં સંયતને અશુદ્ધદાતમાં માથુતુતા=અલ્પ આયુષ્યની કારણતા, પશુમવીર્ધાયુતતાવ અને અશુભ દીર્ઘ આયુષ્યની કારણતાસૂત્રતા=સૂત્રમાં બતાવાયેલી=સ્થાનાંગસૂત્રમાં બતાવાયેલી યુવત્તાયુક્ત છે. ગરપા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy