SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આપuuuu (૮) અતિચાર – સમાપ્તિ- સૂત્ર પ્રશ્ન ૭૦ - સામાયિક ક્યાં કરવી જોઈએ? ઉત્તર :-નિરવદ્ય-પવિત્ર સ્થાનમાં - ઉપાશ્રય, પૌષધશાલા અથવા જ્યાં ધર્મકરણી કરવામાં આવતી હોય તેવા સ્થાને સામાયિક કરવી જોઈએ. પ્રશ્ન ૭૧ :- સામાયિકમાં કેવો વેશ પહેરવો જોઈએ? ઉત્તર:- સામાયિકમાં સાંસારિક વેશ – ધોતિયું, પેન્ટ, શર્ટ, બંડી, ગંજી વગેરે ઉતારીને સફેદ ચલોટો તથા ખેસ પહેરવો જોઈએ. બહેનોએ સાદો પોષાક પહેરવો જોઈએ. વિકારવર્ધકયા ઉદ્ધત વેશ પહેરવો જોઈએ નહિ. પ્રશ્ન ૭૨ :- સામાયિકના ઉપકરણ ક્યા ક્યા છે? ઉત્તર :- સામાયિકની સમ્યમ્ આરાધના કરવા માટે (૧) ગરમ અથવા સુતરાઉ સફેદ રંગનું પાથરણું. (૨) ચલોટો. (૩) ખેસ. (૪) મુહપત્તિ. (પ) ગુચ્છો. (દ) માળા. (૭) ધાર્મિક પુસ્તકો વગેરે. પ્રશ્ન ૭૩:- મુખવસ્ત્રિકા કોને કહે છે? ઉત્તર :- પોત પોતાના હાથના આંગળાઓથી સફેદ વસ્ત્રની ૧૬ અંગુલ પહોળી તથા ૨૧ અંગુલ લાંબી પ્રમાણોપેત. આઠ પડ કરીને વચ્ચે દોરો રાખીને વાયુકાય જીવોની રક્ષા માટે મુખ પર બાંધવામાં આવે છે. તેને મુખવસ્ત્રિકા - મુહપત્તિ કહેવાય છે. પ્રશ્ન ૭૪ :- મુહપત્તિ બાંધવાથી શું લાભ થાય છે? ઉત્તર :- ૧. મુહપત્તિ બાંધવાથી વાયુકાયના જીવોની રક્ષા થાય છે. ૨. ત્રસ જીવો મુખમાં પડીને મરતા નથી. ૩. મુખનું થૂક બીજા પર યા પુસ્તકાદિ ઉપર પડતું નથી. જૈનશાસ્ત્રોમાં પણ ઘણાં અધિકારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy