________________
|||Timlunશ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર નાTITUTTI
પાઠ : ૩૨ : પાંચમા ખામણા
(સાધુ-સાધ્વીજીઓને) પાંચમા ખામણા પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ; એ અઢીદ્વીપ ક્ષેત્રને વિષે બિરાજતા સાધુ-સાધ્વીજીઓને કરું છું. તેઓ જધન્ય હોય તો બે હજાર ક્રોડ સાધુ-સાધ્વી, અને ઉત્કૃષ્ટ હોય તો નવ હજાર ક્રોડ સાધુ-સાધ્વી તેમને મારી તમારી સમયસમયની વંદના હોજો.
તે સ્વામી કેવા છે ! પાંચ મહાવ્રતના પાલણહાર છે, પાંચ સમિતિએ અને ત્રણ ગુતિએ સહિત, છ કાયના પિયર, છ કાયના નાથ, સાત ભયના ટાલણહાર, આઠ મદના ગાલણહાર, નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણઘર, દશવિધ યતિધર્મના અજવાલિક, અગિયાર શ્રાવકની તથા બાર ભિક્ષુની પડિમાના જાણ, બાર ભેદે તપશ્ચર્યાના કરણહાર, સત્તર ભેદે સંયમના ધરણહાર, વીસ અસમાધિના ટાલણહાર, બાવીશ પરિષદના જિતણહાર, સત્તાવીશ સાધુજીના ગુણે કરી સહિત, તેત્રીસ આશાતનાના ટાલણહાર, ૪૨૪૭-૯૬ દોષ રહિત આહાર પાણીના લેવણહાર, બાવન અનાચારના ટાલણહાર, સચેતના ત્યાગી, અચેતના ભોગી, કંચન કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, મહાવૈરાગી, સમતાના સાગર, દયાના સાગર આદિ અનેક ગુણે કરી સહિત છે.
ધન્ય સ્વામીનાથ ! આપશ્રી ગામ, નગર, રાયપાણી, પુર, પાટણને વિષે બિરાજો છો. હું અપરાધી, દીનકિંકર, ગુણહીન અહીં બેઠો છું. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિષે અવિનય,અભકિત, આશાતના, અપરાધ થયો હોય, તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી પંચ અંગ નમાવી ભુજો
ભુજો કરી ખમાવું છું. Hom.Fil;filitaram. 5 :Edir 1- : (૧૩૫) athlFv,hist," it, i Et ris, 1 : : : : : : : - ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org