SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ नग्रहो न मनसः, किन्तु मनस्त्वपरिणतानिष्टेष्टपुद्गलनिचयरूपद्रव्यमनोऽवष्टम्भेन हृनिरुद्धवायुभेषजाभ्यामिव जीवस्यैवेति न ताभ्यां मनः प्राप्यकारित्वसिद्धिः । ननु यदि मनो विषयं प्राप्य न परिच्छिनत्ति तदा कथं प्रसुप्तस्य 'मेर्वोदौ गतं मे मन' इति प्रत्यय इति चेत् । ननु किमपराद्धं चक्षुषा येन तदीयव्यञ्जनावग्रहोऽपि निवार्यते । चक्षुषः सन्निकर्षाभावादिति चेत्? आः किमिदमपूर्वमुच्यते चक्षुषः सन्निकर्षाभावादिति। अस्ति हि तत्सद्भावः, चक्षुः प्राप्यकारि व्यवहिता-प्रकाशकत्वात् प्रदीपवदित्यनुमानेन तत्सिद्धेरिति चेत्? अत्रोच्यते-प्रत्यनुमानबाधितोऽयं पक्षः, જણાવવા દ્વારા પ્રાપ્યકારિતા જણાવે છે એનું શું ? ઉત્તરપક્ષ ઃ આવી ઉક્તિઓ મનની ચંચળતા જણાવે છે. અતિશીવ્રતાથી મન વિષયાંતરસંચાર કરતું હોય છે એવું જણાવવાના તાત્પર્યવાળી જ ઉક્ત ઉક્તિઓ જાણવી. આના ઉપરથી મનની પ્રાપ્યકારિતા સિદ્ધ થઈ શકતી નથી.). પૂર્વપક્ષ ઃ સ્વપ્રમાં શ્રી તીર્થંકર પરમાત્માનો જન્માભિષેક જેણે જોયો હોય તેને ઊઠ્યા પછી તજન્ય આનંદની અનુભૂતિ થાય છે. એ જ રીતે સ્વપ્રમાં પ્રયત્ન કરવા છતાં પણ ઇમિચ્છત વસ્તુ ન મળ્યાનું જણાય તો ઉઠ્યા પછી પણ તજ્જન્ય વિષાદનો અનુભવ થાય છે. ઉત્તરપક્ષ : સ્વપ્રજ્ઞાનથી ઉત્પન્ન થતા હર્ષ કે શોકના અનુભવને અમે મિથ્યા નથી કહેતા. પરંતુ આવી અનુભૂતિને આધારે મનમાં પ્રાપ્યકારિતા સિદ્ધ થઈ શક્તી નથી. કારણ કે ભોજનાદિનું સ્વપ્ર જોનારને હર્ષનુભવ થવા છતાં તે ક્રિયાનું તૃપ્તિ વગેરે ફળ મળતું નથી. (સ્વપનો એટલે કે કલ્પનાનો પૈસો હર્ષ આપી શકે તો ય સામગ્રી આપી નથી શકતો.) મન જો પ્રાપ્યકારી હોત તો ભોજનવિષયક સ્વમ જોનારને ભોજનક્રિયાનું સુધાતૃપ્તિરૂપ ફળ મળવું જોઈએ, પરંતુ એવું ફળ મળતું નથી. તેથી મન પ્રાપ્તકારી સિદ્ધ થઈ શકતું નથી. પૂર્વપક્ષ : સ્ત્રી સંપકદિ ક્રિયાથી વીર્યપાત જેમ થાય છે તેમ સ્ત્રીસંપર્યાદિવિષયકસ્વપ્ર વખતે પણ તે ક્રિયાનું વીર્યપાતાદિરૂપ ફળ ત્યાં જોવા મળે છે. જો સ્ત્રી સાથે મનનો સંબંધ (વ્યંજનાવગ્રહ) ન માનો તો આવું ફળ શી રીતે જણાય ? ઉત્તરપક્ષ : આવા કુસ્વપ્ર વખતે થતા વીર્યપાતાદિ તો કામસંજ્ઞા સંબંધી મનમાં ઉત્પન્ન થતા તીવ્ર અધ્યવસાયોના કારણે થાય છે. આ વીર્યપાતાદિ રૂપ ફળ કાંઈ વાસ્તવિક સ્ત્રીસંપર્ક જન્ય નથી. અન્યથા સ્વપ્રમાં જે સ્ત્રીનો સંસર્ગ થયો હોય તેને ગર્ભાધાનાદિ પણ થવા જોઈએ. (જેમ કે વાઘ કે ભૂત, પિશાચ વગેરેનું કોઈ ભયંકર સ્વપ્ર આવે તો ઊંઘમાં જ કેટલાકને પેશાબ છૂટી જાય, ચીસ પાડવા માંડે, ઊઠ્યા પછી તાવ પણ ચડી જાય, આવું બધું જોવા મળે છે. આ બધું જેમ મનમાં ઉત્પન્ન થતી ભયની તીવ્ર લાગણીઓનું પરિણામ છે તેમ પ્રસ્તતુમાં કામની તીવ્ર લાગણીઓનું એ પરિણામ છે એમ સમજવું.) પૂર્વપક્ષ : મ્યાનદ્ધિ (થિણદ્ધિ) નિદ્રાનો ઉદય થાય ત્યારે માણસ સાક્ષાત પથારીમાંથી ઊભો ૧. જૈન દર્શન પ્રમાણે નિદ્રાના પાંચ પ્રકારો છે. તેમાં પાંચમાં પ્રકારની આ “સ્યાનદ્ધિ નિદ્રા' છે. આ નિદ્રાના ઉદય કાળે ઊંધતા શરીર વડે જીવ દિવસે ચિંતવેલું કાર્ય કરે છે. આ ‘સ્યાનદ્ધિ નિદ્રા' ના ઉદય વખ અડધું બળ આવી જાય છે. શ્રી આવશ્યકનિર્યુક્તિવૃત્તિ વગેરે સ્થળે ત્યાનદ્ધિ નિદ્રા અંગેના અનેક ઉદાહરણો અપાયેલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy