SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ शलम्; वादिप्रतिवादिनोरागमप्रामाण्यविप्रतिपत्तेः, अन्यथा तत एव साध्यसिद्धिप्रसङ्गात् । मात् परेणैव' इत्यादिना । ' आगमात् ' આમાનુસારેળ, ‘વીવ’-પ્રતિવાવિનૈવ, ‘જ્ઞાતસ્ય’-સમ્મતસ્ય, 'वचनम् ' - साधनतया वादकाले वादिना कृतः प्रयोग इत्यर्थः । तथा च वादिना प्रतिवादिनि स्वसिद्धान्तप्रत्यायनं साधनसिद्ध्या सम्पादनीयम् । सा च साध्यसिद्धिर्यदि केवलप्रतिवादिन्यपि स्यात् तावतैव वादी कृतार्थो भवेदिति किमुभयसिद्धसाधनगवेषणप्रयासेन ?, इति परार्थानुमानीयलक्षणान्तरकारिणः पूर्वपक्षिण आशयः । प्राग्निर्दिष्टं लक्षणान्तरं निराकरोति 'तदेतदपेशलम्' इत्यादिना । अत्रायं भावः - वादिप्रतिवाद्युभयसिद्धस्यैव साधनस्य परार्थानुमानोपयोगितया न वादिप्रतिवाद्येकतरसिद्धसाधनेन अनुमानप्रवृत्तिरुचिता । तथा च साधनसिद्धये समाश्रीयमाणः आगमोऽपि वादिप्रतिवाद्युभयसम्प्रतिपन्नप्रामाण्यक एव परार्थानुमानोपजीव्यः, न तु तदन्यतरमात्रसम्मतप्रामाण्यकः । एवं च न प्रतिवादिमात्राभ्युपगतप्रामाण्यकेन आगमेन साधनमुपन्यस्य अनुमानप्रवर्तनं वादिनो न्याय्यम् । वादी हि प्रतिवाद्यागमं तेन परीक्ष्य स्वीकृतमपरीक्ष्य वा स्वीकृतमिति मत्वा तमागममाश्रयन्ननुमानावसरे साधनमुपन्यस्येत् ? । न प्रथमः पक्षः, वादिनापि तदागमप्रामाण्यस्य स्वीकरणीપરાર્થાનુમાનકાળે શ્રોતાને સાધ્યસિદ્ધિ કરાવવી એટલું જ તો વક્તાનું પ્રયોજન હોય છે તેથી ‘પોતાના આગમથી પ્રતિવાદીને જ જે સિદ્ધ હોય તેવું હેતુવચન એ પરાર્થાનુમાન કહેવાય છે.' આવું પરાર્થનુમાનનું લક્ષણ કરવું ઉચિત છે. જેમ કે સાંખ્યો જ્ઞાનને જડ (અચેતન) માને છે. તેની સિદ્ધિ કરવા માટે તે લોકો આવું અનુમાન આપે છે ‘બુદ્ધિ અચેતન છે, કારણ કે તે ઉત્પન્ન થાય છે. જેમ કે ઘટ.' હવે સાંખ્યો તો સત્કાર્યવાદી હોવાથી કોઈ પણ પદાર્થની ઉત્પત્તિ કે નાશ તો માનતા જ નથી, માત્ર આવિર્ભાવ-તિરોભાવ જ માને છે. બાકી સાંખ્યોના મતે તો દરેક વસ્તુ નિત્ય છે. તેથી તેમણે આપેલો ‘ઉત્પત્તિમત્ત્વ’ હેતુ તેમના મતે બુદ્ધિમાં (પક્ષમાં) રહ્યો નથી કે ઘટાદિમાં (દૃષ્ટાન્તમાં) પણ રહ્યો નથી. છતાં, અહીં હેત્વાભાસ કે દૃષ્ટાન્નાભાસ દોષ નથી કારણ કે સાંખ્યો તો ઉક્ત અનુમાન જૈન વગેરેને આપે છે અને એ બધા તો જ્ઞાનને પર્યાયાદિરૂપે માને છે તેથી જ્ઞાનાદિમાં ઉત્પત્તિમત્ત્વ માને જ છે. માટે તેમને તો સ્વઆગમપ્રમાણથી હેતુ સિદ્ધ જ છે. આ રીતે સાંખ્યો બુદ્ધિમાં ઉત્પત્તિમત્ત્વ સ્વીકારતા નથી છતાં પણ માત્ર પ્રતિવાદીને સિદ્ધ એવા હેતુનો પ્રયોગ પણ તે લોકો કરે છે. સાંખ્યોએ આપેલા આ અનુમાનના જોરે અમે એમ માનીએ છીએ કે ‘પોતાના આગમ થકી માત્ર પ્રતિવાદીને જ સિદ્ધ હોય એવા હેતુનો પ્રયોગ એ પરાર્થાનુમાન છે.' ઉત્તરપક્ષ : માત્ર પરપ્રસિદ્ધ હેતુથી પરાર્થાનુમાન કરાવવાની તમારી વાત બરાબર નથી. કારણ કે પહેલી વાત તો એ છે કે વિવક્ષિત આગમના પ્રામાણ્ય અંગે વાદી-પ્રતિવાદી વચ્ચે મતભેદ રહેવાનો જ. જો મતભેદ ન હોય તો પછી તે આગમથી જ વિવક્ષિત સાધ્યની સિદ્ધિ થઈ શકે છે. પછી અનુમાન કરવું વ્યર્થ છે. દા.ત. સાંખ્યોના આગમ બુદ્ધિને અચેતન કહે છે તે અંગે જો પ્રતિવાદી જૈન વગેરેને મતભેદ ન હોય તો પછી સાંખ્યોના આગમથી જ તે પ્રતિવાદીને સાધ્યસિદ્ધિ (બુદ્ધિમાં અચેતનત્વની સિદ્ધિ) થઈ જતી હોવાથી વિવાદ જ ક્યાં રહે કે જેથી સાંખ્યોએ પ્રતિવાદીઓને અચેતનત્વની સિદ્ધિ કરવા અનુમાન આપવું પડે ! (અને પ્રતિવાદીઓ પણ જો સાંખ્યાગમોને સ્વીકારી લેતા હોય પછી તો Jain Education International - For Private & Personal Use Only = ૧૩૭ www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy