SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ ૧૩૧ नित्यत्वादौ सुसाध इति सम्यग्निभालनीयं स्वपरसमयदत्तदृष्टिभिः । साधयितुं शक्य इत्यर्थः । વૈશેષિક સ્વતંત્ર માને છે. તેથી તે પદાર્થનું અસ્તિત્વ એ તેમનો વિપરીત આરોપ થયો. ઉક્ત પ્રકારની અનુમિતિ દ્વારા સ્વતંત્ર સામાન્ય-વિશેષ પદાર્થમાં નાસ્તિત્વની સિદ્ધિ કરવા દ્વારા તૈયાયિક વૈશેષિકાદિના ઉક્ત વિપરીત આરોપનો વ્યવચ્છેદ કરાય છે. આ પ્રમાણે વિશેષણથી વિશિષ્ટ વિકલ્પસિદ્ધ ધર્મીની સિદ્ધિ થઈ શકે છે. ઉક્ત પ્રકારની વિકલ્પાત્મક અનુમિતિ દ્વારા ભલે ને તેવા ધર્મોમાં કોઈ વિશેષધર્મની સિદ્ધિ ન થઈ શકે ! કારણ કે વિકલ્પસિદ્ધ ધર્મીમાં તો અસ્તિત્વ કે નાસ્તિત્વની સિદ્ધિ જ થઈ શકે છે અને એટલું જ સિદ્ધ કરવું અભિપ્રેત હોય છે તેથી કોઈ વાંધો નથી. & વિ૫સિદ્ધ ધર્મીની પ્રસિદ્ધિ ખંડશઃ જ થાય * વિકલ્પસિદ્ધ ધર્મીની પ્રસિદ્ધિ અંગેના પૂર્વોક્ત ત્રણ વિકલ્પોમાંથી વાસ્તવમાં તો ત્રીજો વિકલ્પ જ ઉચિત છે, એટલે કે વિકલ્પસિદ્ધ ધર્મી ખંડશઃ પ્રસિદ્ધ પદાર્થરૂપ બનશે અને તેમાં અસ્તિત્વ કે નાસ્તિત્વની સિદ્ધિ કરવી જ ઉચિત છે. આ જ કારણથી “અસત્નો નિષેધ થતો નથી'... ઈત્યાદિ વાત જણાવતા વિશેષાવશ્યકભાષ્યગ્રન્થમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે “ખરવિષાણ નથી એવા વાક્યનો “ખરમાં વિષાણ નથી' એવો અર્થ કર્યો છે. તાત્પર્ય : ‘ખરવિષાણ' પદ એ સામાસિક પદ છે. તેના બે ઘટકો છે. “ખર અને વિષાણ' ખરપદની લક્ષણા કરીને “ખરીય' (aખરસંબંધી) એવો અર્થ કરવાનો છે અને તેનો અભેદસંબંધથી ‘વિષાણ' પદ સાથે અન્વય કરવાનો છે. તેથી ‘વરીયfમન્નવિષvi નાસ્તિ' એવો બોધ થશે. અહીં ખરીવિષાણ ભલે પ્રસિદ્ધ ન હોય પણ વિષાણ સામાન્ય તો ગાય વગેરેમાં પ્રસિદ્ધ જ છે. એ જ રીતે વિષાણમાં “ખરીયત્વ” ભલે પ્રસિદ્ધ ન હોય પણ ખરની પૂંછડીમાં તો ખરીયત્વ પ્રસિદ્ધ જ છે. તેથી ખંડશઃ પ્રસિદ્ધ એવા બે પદાર્થોના સંબંધના નાસ્તિત્વની સિદ્ધિ ઉક્ત વાક્યથી થશે - “ખરમાં વિષાણ (નો સંબંધ) નથી.” આ જ રીતે પ્રાન્તનત્યં અર્થક્રિયાસમર્થ ન મતિ, માપમાવાતુ’ - “એકાંતનિત્યવસ્તુ અર્થક્રિયાસમર્થ નથી કારણ કે તેમાં ક્રમ કે યૌગપદ્ય ઘટતું નથી. આવા સ્થળે પણ ગ્રન્થકાર સંગતિ કરી બતાવે છે. જૈનમતે એકાંતનિયત્વ ક્યાંય પ્રસિદ્ધ નથી તેથી તેની પક્ષ તરીકે પ્રસિદ્ધિ શી રીતે થાય તે એક પ્રશ્ન છે. પરંતુ ગ્રન્થકાર તેવા સ્થળે આ રીતે પક્ષની પ્રસિદ્ધિ કરી આપે છે. - ઉક્ત સ્થળે “ક્રમયૌગપઘાભાવ” એ હેતુ છે કે જે અર્થક્રિયાસામાÄભાવની સિદ્ધિ કરી આપે. હવે આ હેતુ અંગે વિશેષ વિચારણા કરતા ક્રમયૌગપઘાભાવ' નો અર્થ “ક્રમયોગપઘનિરુપકત્વાભાવ” કરવો અને આવો હેતુ જ્યાં હોય ત્યાં અર્થક્રિયાસામધ્યભાવ હોય છે. હવે મુખ્ય પ્રશ્ન એ રહે કે ઉક્ત સાધ્યની સિદ્ધિ જે પક્ષમાં રહે છે તે પક્ષ (એકાંતનિત્ય) શી રીતે પ્રસિદ્ધ થશે? તે અંગે કહે છે કે જૈનમતે એકાન્તનિત્યત્વ એટલે કે અનિત્યસ્વાસમાનાધિકરણનિત્યત્વ પ્રસિદ્ધ ન હોવા છતાં પણ કથંચિત્ નિત્યત્વ એટલે કે અનિત્ય–સમાનાધિકરણનિત્યત્વ તો પ્રસિદ્ધ જ છે. આવા કથંચિત્ નિત્યત્વમાં અનિત્યવસામાનાધિકરણ્યાવચ્છેદન ક્રમયૌગપઘનિરૂપકત્વ છે પણ તદભાવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy