SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ ૧૨૭ स्यास्तित्वस्य, सकलदेशकालसत्ताऽभावलक्षणस्य च नास्तित्वस्य साधनेन परपरिकल्पितविपरीतारोपव्यवच्छेदमात्रस्य फलत्वात् ।। ___'विकल्पात्मिकैव'-अनुमितेः शब्दज्ञानानुपातित्वानियमेन शब्दज्ञानानुपातिविकल्परूपत्वाभावेऽपि वस्तुशून्यविकल्पसदृशतया विकल्पात्मिकेत्युक्तम् । तथा च विकल्पाकारवृत्तिसदृशीत्यर्थः । માટે અભિપ્રેત એવા ભાવાત્મક સાધ્ય કરતા વિપરીત એવા અભાવાત્મક સાધ્યની સિદ્ધિ કરતો હોવાથી આ હેતુ વિરુદ્ધ બનશે. પ્રમાણવાર્તિકમાં કહ્યું પણ છે કે – (૧) જો હેતુ ભાવપદાર્થનો ધર્મ હોય તો તે અસિદ્ધ ધર્મીમાં રહી ન શકે (કારણ કે જો ધર્મી જ હજુ અસિદ્ધ હોય તો પછી હેતુ એ ભાવપદાર્થનો ધર્મ છે એવું શી રીતે કહી શકાય ?) (૨) જો હેતુ ભાવ અને અભાવ બન્નેમાં રહેતો હોય (એટલે કે જે હેતુ ઉભયાશ્રય હોય, તો તે હેતુ વ્યભિચારી થઈ જાય છે. કારણ કે સત્ત્વાભાવવમાં પણ તે હેતુ રહેલો કહેવાશે. તેથી તે ભાવત્વને વ્યભિચારી બનવાનો. (૩) જો હેતુ અભાવનો ધર્મ હોય તે તે વિરુદ્ધ બની જશે (કારણ કે જે હેતુથી અસ્તિત્વધર્મ સિદ્ધ કરવાનો હતો તે હેતુ સ્વયં અભાવનો ધર્મ હોવાથી નાસ્તિત્વધર્મને જ સિદ્ધ કરી દેશે જે અભિપ્રેત કરતા વિરોધી થશે.) આમ, વિકલ્પસિદ્ધધર્મીની સત્તા કઈ રીતે સિદ્ધ થઈ શકે ? - જૈન : તમારા (બૌદ્ધનું) કથન બરાબર નથી કારણ કે આ રીતે તો “પર્વતો વદ્ધિમાનું ધૂમાત્' આ પ્રસિદ્ધ અનુમાનનો પણ ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવશે. કારણ કે તે સ્થળે પણ ઉપરોક્ત રીતે ત્રણ વિકલ્પો કરી શકાશે કે (૧) “ધૂમ એ વદ્વિમાનો ધર્મ છે, (૨) વતિમાનું-અવતિમાનું ઉભયનો ધર્મ છે કે, (૩) માત્ર અવદ્વિમાનો ધર્મ છે. ધૂમ વતિમાનો ધર્મ છે એવો પ્રથમ પક્ષ બરાબર નથી. કારણ કે પ્રસ્તુત અનુમિતિ થતા પૂર્વે પર્વત વહ્નિમાનું છે એવો નિર્ણય થયો નથી. (અન્યથા, પ્રસ્તુત અનુમિતિ કરવી જ નિષ્ફળ બની જશે.) તાત્પર્ય એ છે કે, ધૂમ એ પર્વતના ધર્મ તરીકે પ્રત્યક્ષસિદ્ધ હોવા છતાં પણ પર્વત વતિમાનરૂપે સિદ્ધ ન હોવાથી ધૂમ પણ વહિંમદ્રના ધર્મ તરીકે પ્રસિદ્ધ નથી અને તેથી અસિદ્ધિ દોષ આવે. (પક્ષમાં હેતુના અભાવને જેમ અસિદ્ધિ કહેવાય છે તેમ પક્ષમાં હેતુના સંશયને પણ અસિદ્ધિ કહેવાય છે.) તેથી પ્રથમ વિકલ્પ બરાબર નથી. બીજો વિકલ્પ પણ બરાબર નથી કારણ કે એ રીતે તો હેતુ વ્યભિચારી બની જશે. કારણ કે બીજા વિકલ્પ પ્રમાણે તો જ્યાં વહિં નથી ત્યાં પણ ધૂમ રહ્યો છે તેથી તેને વન્યભાવવવૃત્તિ માનવો પડશે. આ રીતે તે વ્યભિચારી સાબિત થશે. ત્રીજો હેતુ સ્વીકારો તો હેતુ વિરુદ્ધ થશે. કારણ કે વદ્ધિની સિદ્ધિ માટે હેતુ અપાયેલો છે અને આ હેતુ તો વહુન્યભાવની સિદ્ધિ કરી દેશે. (કારણ કે ત્રીજા વિકલ્પ અનુસાર ધૂમને તો અવદ્વિમાનનો ધર્મ માન્યો છે તેથી જ્યાં વહ્નિનો અભાવ હોય ત્યાં જ આ ધૂમ હેતુ રહેવાનો.) આ રીતે પ્રસિદ્ધ અનુમાનોનો પણ ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવશે. આ આપત્તિના વારણ માટે તમે જે યુક્તિઓ આપશો તે બધી સર્વજ્ઞસત્તાસાધક અનુમિતિ સ્થળે પણ ઉપયોગી બનશે. આથી ધર્મી વિકલ્પસિદ્ધ હોય ત્યારે સત્તા કે અસત્તા સાધ્ય હોય છે એ વાત સિદ્ધ થાય છે. ૪ વિ૫સિદ્ધ ધર્મ વિશે નૈયાયિક્તતનું ખંડન * નિયાયિક : વિકલ્પ પોતે પ્રમાણરૂપ નથી તેથી વિકલ્પથી ધર્મીની સિદ્ધિ થઈ શકે નહીં. (કારણ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy