SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ ૧૦૯ अन्यथा विस्मृताप्रतिपन्नसम्बन्धस्यागृहीतलिङ्गकस्य च कस्यचिदनुमानोत्पादप्रसङ्गात् । निश्चितान्यथानुपपत्त्येकलक्षणो हेतुः, न तु त्रिलक्षणकादिः । तथाहि-त्रिलक्षण एव हेतुरिति बौद्धाः । पक्षधर्मत्वाभावेऽसिद्धत्वव्यवच्छेदस्य, सपक्ष एव सत्त्वाभावे च विरुद्धत्वरूपत्वमिति वस्तुतः स्वव्यवसितेरेव ज्ञानाभावनिवृत्तिरूपतया न तर्कस्यापि अज्ञाननिवृत्तिरूपसामान्यफलानुपपत्तिः । इत्थमेव च 'स्वार्थव्यवसितेरेव तत्फलत्वादिति प्राक्तनग्रन्थसङ्गतिः । त्रिलक्षणकादिरि'ति → त्रीणि लक्षणानि = रूपाणि, पक्षधर्मत्वसपक्षसत्त्वविपक्षासत्त्वाख्यानि यस्यासो त्रिलक्षणकः, स आदिर्यस्य पञ्चलक्षणकादेः स त्रिलक्षणकादिः पुनर्हेतुर्न भवतीत्यर्थः, हेत्वाभासेष्वपि त्रिलक्षणादेरतिव्याप्तत्वात् । तत्र साध्यधर्मविशिष्टो धर्मी पक्षः, यथा वढ्यनुमाने पर्वतः, तस्मिन् वर्तमानत्वं રહેલી વતિની વ્યાપ્તિનું સ્મરણ કરનારા પુરુષને પર્વતો વતિમાનું એવું જે અનુમાન થાય તેને સ્વાર્થનુમાન કહેવાય છે. રસોડામાં ધૂમ-અગ્નિની વ્યાપ્તિ જેણે જાણી હોય તેવી વ્યક્તિ પર્વત તરફ જાય અને પર્વત પરથી નીકળતા ધૂમને જુએ ત્યારે તેને ધૂમ-અગ્નિની પૂર્વગૃહીત વ્યાપ્તિનું સ્મરણ થશે અને પછી તેને પર્વત અગ્નિવાળો” છે એવું અનુમાન થશે. આ સ્વાર્થાનુમાન છે. અહીં સાધ્યનું જ્ઞાન થવામાં હેતુગ્રહણ અને સંબંધ (=વ્યાપ્તિ) સ્મરણને જે કારણ કહ્યા છે તે બન્નેને સમુદિતરૂપે (સંમીલિતરૂપે) જ કારણ જાણવા. અન્યથા, જો આ બેમાંથી એક કારણ દ્વારા પણ સાધ્યજ્ઞાન માનવામાં આવે તો જેણે પૂર્વે ક્યારેય વ્યાતિગ્રહણ કર્યું જ ન હોય તેવા પુરુષને પણ ધૂમનું દર્શન થવા માત્રથી જ સાધ્યનું જ્ઞાન થઈ જવાની આપત્તિ આવે. એ જ રીતે પૂર્વગૃહીત વ્યાપ્તિને ભૂલી ગયો હોય તેવા પુરુષને પણ સાધ્યનું જ્ઞાન થઈ જવાની આપત્તિ આવે. અથવા ઘરમાં બેઠા બેઠા માત્ર વ્યાપ્તિનું સ્મરણ કરનારને ધૂમના દર્શન વિના પણ સાધ્યનું (અગ્નિનું) જ્ઞાન થઈ જવાની આપત્તિ આવે. હેતુગ્રહણ અને સંબંધસ્મરણ બને સમુદિતરૂપે કારણ કહેવાથી ઉક્ત આપત્તિઓ રહેતી નથી. * હેતુના સ્વરૂપનું નિરૂપણ * સ્વાર્થનુમાન પછી યદ્યપિ પરાર્થાનુમાનની વાત કરવાની છે પરંતુ સ્વાર્થનુમાનની વાતમાં જ સપ્રસંગ હેતુ-સાધ્ય-પક્ષ આદિનું નિરૂપણ કરે છે. પરાર્થનુમાનની વાત ત્યાર બાદ કરશે. સૌપ્રથમ હેતુનું લક્ષણ જણાવે છે. સાધ્ય વિના જેનું અસ્તિત્વ જ સંગત (ઉપપન્ન) ન બને તે હેતુ કહેવાય. (અહીં “અન્યથા'= સાધ્ય વિના). “જો વહ્નિરૂપ સાધ્ય ન હોય તો ધૂમ હોઈ જ ન શકે” આ રીતે વદ્ધિના (= સાધ્યના) અભાવમાં ધૂમનું (= હેતુનું) અનુપપન્ન બની જવું એ જ હેતુનું એકમાત્ર સ્વરૂપ (= લક્ષણો છે. બૌદ્ધો હેતુના ત્રણ સ્વરૂપો માને છે, નૈયાયિક વગેરે તેના પાંચ સ્વરૂપો માને છે. એ વાતનું નિરાકરણ કરવા માટે ગ્રન્થકારે સ્પષ્ટ કહી દીધું 3 न तु त्रिलक्षणकादिः ।। * બૌદ્ધ સંમત હેતુરૂપ્યનું ખંડન ક બૌદ્ધ. તમે હેતુનું માત્ર એક જ સ્વરૂપ જણાવો છો એ બરાબર નથી કારણ કે તેનાથી હેતુની પૂર્ણ ઓળખ થતી નથી. હેતુના ત્રણ સ્વરૂપો છે. પક્ષસત્ત્વ (= પક્ષધર્મતા), સપક્ષસત્ત્વ અને વિપક્ષાસત્ત્વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy