SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ ૧૦૭ शङ्काविघटकतया, स्वातन्त्र्येण शङ्कामात्रविघटकतया वोपयोगात् । इत्थं चाज्ञाननिवर्तकत्वेन तर्कस्य पर्वते धमाभावाभाववत्तया वयभावाभाववत्त्वरूपविपर्ययसाधनपर्ययवसायित्वेन आहार्यशडकाविघटकतयेति ब्रूमः। यत्र न पुनर्व्याप्तिविचारः प्रस्तुतो न वा तादृशी आहार्यशङ्का, तत्र विचारानङ्गत्वेऽपि स्वातन्त्र्येणैव शङ्कामात्रविघटकतया तादृशस्य तर्कस्योपयोगित्वमिति भावः । ननु यदि शङ्कामात्रविघटकतया तर्कस्योपयोगित्वं, तर्हि धर्मभूषणेन न्यायदीपिकायां अज्ञाननिवर्तकतया समर्थितं तर्कप्रामाण्यं कथं सङ्गमनीयम् धर्मभूषणेन हि श्लोकवार्तिकीयवाक्योल्लेखेन स्वमतं समर्थितं तत्र, तथाहि - "तदुक्तं श्लोकवार्तिकभाष्ये- 'साध्यसाधनसम्बन्धाज्ञाननिवृत्तिरूपे हि फले साधकतमस्तर्कः इति" ' (न्या.दीपिका) तदेतदपाकर्तुमाह 'इत्थं चेति - तथा च अज्ञानपदस्य तत्र मिथ्याज्ञानपरत्वेन मिथ्याज्ञाननिवर्तकत्वं વહિજન્ય પણ ન હોત' આને નૈયાયિકો તર્ક કહે છે. આ તર્ક વિપર્યયપર્યવસાયી (= અંતે આપાદ્યના વિપર્યયમાં ફલિત થનાર) છે. વિપર્યય આ રીતે થાય છે કે “ધૂમ વહ્નિથી જન્ય છે માટે ધૂમ વતિને વ્યભિચારી નથી.” આ વિપર્યય દ્વારા ધૂમ વહ્નિ વચ્ચેની જે વ્યભિચારની આહાર્યશંકા હતી તે દૂર થાય છે. બસ, આ શંકા દૂર થતા અહીં નૈયાયિકસંમત તર્કની કામગિરિ પૂરી થાય છે. આ રીતે આહાર્યશંકાનું વિઘટન કરવા દ્વારા આ તર્ક વ્યાપ્તિગ્રહણમાં ઉપયોગી બને છે.) અને જયાં વ્યાપ્તિનો વિચાર થતો ન હોય અને ઉક્ત રીતની આહાર્યશંકા પણ ન હોય ત્યાં આ નૈયાયિક અભિમત તર્ક ખાસ ઉપયોગી બનતો નથી. છતાં પણ એ તર્ક સ્વતંત્ર રીતે જ શંકા માત્રનું વિઘટન કરવા દ્વારા, એટલે કે કોઈ શંકાને ઊભી જ ન થવા દેવા દ્વારા ઉપયોગી બને છે. આ રીતે વ્યાપ્તિનો વિચાર કરવામાં અથવા આહાર્યવ્યભિચાર શંકાને દૂર કરવામાં, અથવા (એવી કોઈ શંકા ન હોય કે વ્યાપ્તિનો વિચાર કરવો ન હોય ત્યાં) સ્વતંત્ર રીતે જ શંકામાત્રનું વિઘટન કરવા દ્વારા તે ઉપયોગી બને. વિશેષવિમર્શ : નૈયાયિકસંમત તર્કનો આકાર જો ધૂમ વદ્વિવ્યભિચારી હોય તો વહ્નિજન્ય પણ ન હોય શકે એવો છે. જ્યારે જૈન સંમત તર્કપ્રમાણનો આકાર “અમુક હોય તો જ અમુક હોય, અન્યથા ન હોય...' એવો છે. શંકા : જૈન સંમત તર્કપ્રમાણનો જે આકાર બતાવ્યો છે તેવો આકાર તો વ્યાપ્તિજ્ઞાનનો હોય છે. તર્કને તો તમે વ્યાપ્તિગ્રાહક માનો છે માટે તર્કનો આકાર વ્યાપ્તિના આકારથી કંઈક જુદો હોવો જોઈએ ને? સમા. : જૈન મતે પ્રમાણજ્ઞાન અને ફલજ્ઞાન વચ્ચે કથંચિત્ અભેદ છે એ વાત પૂર્વે (શરૂઆતમાં જ) કહેવાઈ ગઈ છે. તેથી જે તર્ક જ્ઞાન છે એ જ વ્યાપ્તિજ્ઞાન છે. તર્કજ્ઞાન એ પ્રમાણ છે અને વ્યાપ્તિજ્ઞાન એ ફળ છે. તેથી “જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં જ ધૂમ હોય, એ સિવાય ન હોય આવી વિચારણા તે તર્ક બને. આવા તર્કથી “જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિ પણ હોય જ આવી વ્યાપ્તિનું ગ્રહણ થાય છે. પ્રમાણજ્ઞાન અને ફલજ્ઞાન વચ્ચે કથંચિત્ અભેદ હોવાથી આકારની સમાનતા હોય તેમાં કોઈ બાધ નથી. જેમ કે “યં ઘટ' એવું જ્ઞાન પ્રમાણ બને છે અને તેનાથી આત્માને “વયં ઘટ?' એવો જે બોધ થાય છે એ ફળ બને છે.). 9. ડ્રષ્ટચ્ચે વૈતત્ તત્ત્વાર્થસ્લોવવવ 9.9રૂ.99૬-૮ વૃત્તી | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy