________________
૧૬૩ જીવ મોક્ષે જાય છે ત્યારે ભવ્યત્વનું વિઘટન=ભવ્યત્વનો નાશ, થાય છે. માટે અનાદિ હોય તે અનંત છે એવી વ્યાપ્તિ નથી. તેથી ગાથા-૩૯માં વેદાંતીએ કહેલ કે અનાદિ જ્ઞાનાવરણીયકર્મનો સંયોગ માનશો તો વિયોગ થશે નહિ, તેનું નિરાકરણ થયું. Iઉકા
અવતરણિકા :
ગાથા-૩૯ માં કહેલ કે જો જ્ઞાનાવરણાદિ કર્મનો સંયોગ અનાદિ હોય તો તે કર્મનો વિયોગ થઈ શકે નહિ. આ પ્રકારની વેદાંતમતની યુક્તિનું ગાથા-૯૩ માં ખંડન કર્યું અને સ્થાપન કર્યું કે, અનાદિ હોય તે અનંત હોઈ શકે; તેમ અનાદિ ભાવ સાંત પણ હોઈ શકે અને સાદિ ભાવ અનંત પણ હોઈ શકે. જીવમાં રહેલું સિદ્ધિગમનયોગ્યત્વરૂપ ભવ્યત્વ અનાદિ છે છતાં સાંત છે તેમ સ્થાપન કર્યું; હવે તે ભવ્યત્વ શું ચીજ છે તે યુક્તિથી બતાવતાં કહે છે – ચોપાઇ - .. मुगति प्रागभवह ते ठामि, जाति योग्यता जियपरिणामि ।
जूठी माया कारण थाइ, वंध्या माता किम न कहाय ।।६४।। ગાથાર્થ :
મુક્તિના પ્રાગભાવને સ્થાને તે જાતિ છે=ભવ્યત્વ જાતિ છે, (જે) જીવના પારિણામિકભાવરૂપ યોગ્યતા છે=મોક્ષમાં જવાની યોગ્યતારૂપ છે. અને જૂઠી માયા કારણ થાય તો “વંધ્યા માતા” કેમ ન કહેવાય? Iઉજા બાલાવબોધ :
ते जाति भव्यत्वनामइ जीवपारिणामिकभावरूप छड़, नैयायिकाद्यभिमत मुक्तिप्रागभावनइ ठामि छइ, तुच्छ अभावरूप ज मानिइ तो जातिकार्य न करइ, मुक्त्यधिकार ते भव्यत्व छड़; शमदमवत्त्वइ अधिकारिता हुइ तो तदज्ञानइ प्रवृत्ति तदुत्तर शमादिसंपत्ति, इम अन्योन्याश्रय थाइ, इत्यादि घणी युक्ति न्यायालोकई कही छइ, ते भव्यत्ववंतजीव तथाभव्यत्वपरिणामइ तत्तत्कार्यनो कर्ता छड्, जो जूठी माया ज कारण कहिइ तो 'वंध्या माता' ए
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org