SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાત-મંત્ર જપ ફૂટેલા અંકુરને નવપલ્લવિત રાખવાની જરૂર છે. વિષાદ વગર સમય કાઢી ધ્યાનમાં જવાનું રાખવું જરૂરી છે. ૬ 07 તા. ૪-૧-૧૯૮૬ સુખદુઃખ સહન કરવાની કળા તિતિક્ષાથી પ્રાપ્ત થાય છે. એનો પ્રારંભ પ્રકૃતિ સાથે સંવાદથી થાય છે. માટે જ શાસ્ત્રોમાં કહયું છે કે શીતોષ્ણ અવસ્થામાં પ્રકૃતિની વિષમતા દેખાતી હોય છે, ત્યારે પણ ચિત્તમાં સમતા હોય. સુખપૂર્વક જીવન જીવવાની આ ચાવી છે. જીવનમાં એક પણ ક્ષણનો પ્રમાદ કરવા જેવો નથી. જેને આત્માની અનુભૂતિ કરવી છે. તેણે સતત જાગૃતપણે પુરુષાર્થ કરવો જ રહ્યો. એ માટે ધ્યાન જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. ૧૦૫ ૧૦૬ જપ કરનારે સહુથી પહેલા પોતાના મનને પૂછવું કે જપ શા માટે કરવા છે? અને પછી મને શું કહે છે તે તટસ્થતાથી સાંભળવું અને એમાં સંસાર પોષણનો કોઈ પણ મંદ ધ્વનિ ઊઠતો હોય તો મનને કહેવું રે મન! હજી તને બહારમાં રહેવું છે? સંસારમાં જ રમવું છે? મનમાં એમ થાય કે જપ અન્ય કશા માટે નહીં માત્ર મનને શાંત કરવા માટે જ, ત્યારે કોઈ પણ મંત્ર અસર કરશે, તે પહેલા નહીં. (૧૦) મંત્ર કેવી રીતે જપવો? સતત એક જ મંત્ર જપવો. વારંવાર મંત્ર બદલવાથી મંત્રમાં ચૈતન્ય પ્રગટતું નથી, બધા મંત્રો ચેતના વગરના બની જાય છે. ઘણા મંત્ર જપવા નુકસાનકારક. મંત્ર જપ કરતાં ધ્યાનનું લક્ષ રાખવું ને મંત્ર જપુ કરતાં ધ્યાનમાં જવાય તો ડૂબી જવું. (૧૦૭) મંત્ર ઈષ્ટની ઉપાસના માટે છે. ઈષ્ટ એટલે આરાધ્ય દેવ. દેવ રાગથી, દ્વેષથી, મોહથી, અજ્ઞાનથી મુકત છે. મુક્ત જ હોવા ઘટે એ જ ઈષ્ટ. એ ઈષ્ટ બે, ચાર કે અનેક ન હોય, ઈષ્ટ એક જ હોય. જેમ સતી સ્ત્રીને પતિ એક જ હોય, તેમ ઉપાસકને ઈષ્ટ એક જ હોય અને ઉપાસક સમગ્ર ભાવથી, સમગ્ર શકિતથી ઈષ્ટની ઉપાસના કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy