SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શાત-મત્ર ૫ ઈષ્ટની ઉપાસના ઈષ્ટ જેવા થવા માટે છે. જે ઈષ્ટની ઉપાસના કરશો, તમે એના જેવા થશો. માટે ઈષ્ટને વરવામાં, પસંદ કરવામાં વિવેક જોઈએ. અરિહંત તત્ત્વ નિરાકાર છે, નિર્ગુણ છે. એની ઉપાસના અત્યંત કઠિન છે. ભગવાન મહાવીર, પાર્શ્વનાથ આદિ સાકાર સ્વરૂપ છે. એ જ ઉપાય છે. એ જ ઉપાસ્ય અને એ ઉપાસ્યની સાથે ચેતનાને તદાકાર કરવા માટે એક જ મંત્ર. ઈષ્ટ સાથે ચેતના તદાકાર બને ત્યારે મંત્ર સિદ્ધ થયો કહેવાય માટે એક જ ઈષ્ટ અને એક જ મંત્ર સાધનામાં અનિવાર્ય છે. સાધકનું ચિત્ત શાંત, પ્રશાંત, ધીર, ગંભીર અને સમતોલ હોવું જોઈએ. તો જ સાધના થાય. • શુદ્ધ આત્મતત્ત્વ ભક્તિને પાત્ર છે, મલિન આત્મતત્ત્વ મૈત્રીને પાત્ર છે અને જડ પદાર્થો અનાસક્તિને પાત્ર છે. ********* • પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટ થયા પછી તેમનું સ્મરણ એ જ જપ છે. * *** *** ચિત્તની પ્રવૃત્તિ અથવા ચિત્તનું કર્મ એ વિચાર છે. ચિત્તનું કર્મ ઘટવું જોઈએ એટલે કે વિચારનું વર્તુળ નાનું થવું જોઈએ. તો ચિત્તને આરામ મળે અને એ વિશ્રામ ધ્યાન માટે જરૂરી છે. ********* એકાગ્રતા મનની અવસ્થા છે. ધ્યાન ચેતનની અવસ્થા છે. ધ્યાનમાં ચિત્ત વિલય પામતું જાય છે. એકાગ્રતામાં મનની વિક્ષિપ્તતા ટળતી જાય છે. ચિત્તનો વિલય એ જ સાચી અવસ્થા છે. - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy