SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ દશાહબ ૫ વિચારો આવે છે માટે શું કરવું? વિચાર આવે છે ને? વિચાર પણ અધકચરો ન કરો. વિચારને પણ અધકચરો ન જુઓ. પશ્ચાતાપ પણ અધકચરો નકરો. ટોટલ સમગ્રપણે કરો; આ તમને યથાર્થ સમજવામાં એટલા માટે અઘરું પડે છે કે તમારા મનને કંઈક કરવાનું જોઈએ છે, મનને સમજવાની પ્રક્રિયા અઘરી પડે છે, કારણ કરવામાં તમે જડતા પૂર્વક કરી શકો પણ વિચારવામાં, જોવામાં પ્રત્યેક પળની જાગૃતિ જોઈએ. માટે ધ્યાન અઘરામાં અઘરું છે. સ્તોત્રપાઠ, મંત્રજાપ, પ્રાણાયમ સહેલા છે. કારણ એનાથી ટેવાઈ શકાય છે, એ હેબીટ બની શકે છે. ધ્યાન એ ટેવ નથી, આદત નથી, એ તમારી ગેરહાજરીમાં નહિ થઈ શકે. ત્યાં પ્રત્યેક પળે તમારે હાજર રહેવું પડે છે. ક્રિયામાં તમારી ગેરહાજરી ચાલે, ધ્યાનમાં ન ચાલે. વિચારો સારા કે ખરાબ આવે છે ને? સહુથી પ્રથમ એ વિચારોને સંપૂર્ણપણે ઊંડાણથી સમગ્રપણે પણ તટસ્થપણે જોવા, વિચારોને વિચારોની પાસે રહીને બરાબર જોવા. વિચાર ખરાબમાં ખરાબ છે ને? ખરાબ વિચારને એની પરાકાષ્ઠાએ પહોંચવા દો, પણ તમે એ વિચારોને પૂરા જુઓ. વિચારોને આવવા દો. આવવા દેવા પણ વિચાર કરવા નહીં. આ મહત્ત્વની વાત છે. તમે વિચારોને આવવા નથી દેતા પણ કરો છો. એ નથી કરવા એટલે તમારે જોવા, જોનાર બનવું. વિચાર કરવાથી કર્મબંધ થાય છે. પણ વિચારોને ન કરવાથી અને વિચારોને આવવા દેવાથી અને આવતા વિચારોને માત્ર જોવાથી કર્મ નિર્જરા થાય છે. બહુ ગંભીર વાત છે. વિચાર ઊઠે છે તે સકારણ છે, વિચાર કરો છો તે ભૂલ છે. ૧૦૦) તમામ પ્રવૃત્તિઓ કરવાની પાછળ કરનારની એક માત્ર ખોજ છે, અને તે આનંદની. તમામ ક્ષેત્રે વિરાટ પ્રવૃત્તિ કરવા છતાં એ આનંદનો આસ્વાદ ચાખી શકયા નથી. એના ઉપરથી એમ લાગે છે કે આનંદનું કેન્દ્ર જેને માનીને દોડી રહ્યા છીએ એ સાચું કેન્દ્રનથી. તો શું આનંદ ભ્રમ છે? ના ના, આનંદ તો સ્વભાવ છે, પણ એનું કેન્દ્ર જુદું છે. એ કેન્દ્ર છે અસ્તિત્વ એટલે પરમ ચૈતન્ય. તો એ કેન્દ્ર તરફ ગતિ કરવી. પરિધિ ઉપરથી કેન્દ્ર તરફ જવું અને એ જ પ્રક્રિયાને ધ્યાન કહેવાય. એ ધ્યાન દ્વારા પરિધિ ઉપરથી કેન્દ્રમાં જઈ શકાય છે. આ કર્યા સિવાય માનવજાત ઠરશે નહીં, એવું ૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy