SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શાતત્ર ૫ તમને ખમાવું છું. એક વખત સમગ્ર દષ્ટિને અંતર તરફ વાળવી પડશે. પૂર્ણ દષ્ટિ પ્રાપ્ત કર્યા સિવાય સંસારમાં ડગલે ને પગલે દોષ દેખાશે. સંસારનો અર્થ જ એ છે કે ધર્મ કરનાર વ્યકિત જયારે સમજ રહિત હોય છે, ત્યારે એના ધર્મમાં પ્રાણ નથી હોતો. ભાવનું કેન્દ્રહૃદય છે, જો હૃદય મરી ગયું હોય તો ભાવને પ્રગટ થવાનો અવસર કયાં રહ્યો? અને જયાં ભાવ નથી ત્યાં કોઈપણ ક્રિયા હોય, ભોગની કે યોગની તે નીરસ બને છે. આજે જીવન નીરસ છે. અને જયાં ભાવ નથી ત્યાં આનંદ કેવી રીતે પ્રગટે? સમજ અને સંસ્કાર વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે. જ્ઞાન થતાં સંઘર્ષ ટળી જાય છે. જ્ઞાનનું એ સામર્થ્ય છે, એ સંઘર્ષમાંથી મુક્ત કરે છે. સમજ અને જ્ઞાન વચ્ચે મૌલિક ભેદ છે, સમજ છે ત્યાં ભેદ છે, વંદુ છે. જ્ઞાનમાં ભેદ નથી ને વંદ્વ નથી. ત્યાં નિર્બદ્ધ અવસ્થા છે. જ્ઞાન દશામાં સંસ્કારો કામ કરે છે પણ જ્ઞાનીની ચેતના ઉપર હોય છે, એ સંસ્કારથી દબાતી નથી. વિષયો તરફ જોતાં શરમ આવે છે અને જેનાથી શરમ થાય છે એ તરફ ખેંચાણ પણ થાય છે. સમજ છે એના કારણે શરમ આવે છે ને સંસ્કાર છે એના કારણે ખેંચાણ થાય છે. એક ત્રીજી વાત છે સમજથી અને સંસ્કારથી જે જુદો છે એનામાં ઠરે તો બન્ને ટળી જાય. દ્રષ્ટા બની જતાં બન્ને ટળી જાય છે. સમજ જયારે જ્ઞાનમાં પરિણમશે ત્યારે સંસ્કારોની ઉપર ચેતના જશે. શરીર સાધન છે એ વાત નિશ્ચિત પણ સંકલ્પ શરીરને બળ આપે છે. અંદરનો દઢ સંકલ્પ જોઈએ તો શરીર ડીસ્ટર્બ નહીં કરે. ધ્યાન કરવું હોય ત્યારે શરીર તૈયાર થાય જ. શરીર તૈયાર થાય ત્યારે ધ્યાન થઈ શકશે એ વાત શરીરના હાથમાં ગઈ. ધ્યાન કરવું હોય ત્યારે શરીર તૈયાર થઈ જાય એ તમારા હાથની વાત છે એટલે શરીરના તરફ રાહ જોવાની રહેતી નથી. ધ્યાન ધ્યાતાને કરવાનું છે. ધ્યાતા ચેતન છે, એ શરીરમાં છે પણ એની અવસ્થા શરીરથી જુદી છે. શરીર સાથે એની અવસ્થાને કોઈ સંબંધ નથી એટલે બળ પ્રગટશે. પ્રેમ જ જીવનનું અમૃત છે. પ્રેમના અમૃતનો પરિચય ઓછો છે માટે પ્રેમનું મહત્ત્વ સમજાતું નથી. રાગ, સ્નેહ, સદૂભાવ, વાત્સલ્ય એ બધા કરતાં પ્રેમ શ્રેષ્ઠ છે. સપુરુષ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટી જાય પછી એને કોઈ સાધનાની જરૂર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy