SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાત-મત્ર જપ આપણું મન ધ્યાનમાં જવા તૈયાર નથી. કારણ ધ્યાનમાં મનનું મૃત્યુ છે, મન મરે છે, મન રહી શકતું નથી. મનને કામ નથી મળતું. મનનું જીવન છે વિચાર, વિકલ્પ, વૃત્તિ, વિચાર, વિકલ્પ, વૃત્તિ વગરની ચેતનાની જાગૃત અવસ્થા તે ધ્યાન. એ માટે આપણું રૂઢ મન તૈયાર નથી. મન ટેવ માટે, આદત માટે, પુનરાવૃત્તિ માટે, ભિન્ન ભિન્ન જાતની ક્રિયા માટે તૈયાર છે. કારણ આ બધામાં મન રહી શકે છે. મનનું અસ્તિત્વ ટકી શકે છે. માટે મંત્ર, પૂજા, પાઠ, નાદશ્રવણ, પ્રાણાયામ તરફ મન ઢળે છે. ધ્યાન માટે મન તૈયાર નથી. ધ્યાનમાં ગયા વગર નહીં ચાલે. આત્મ અનુભવ પછી ધ્યાન નથી, કારણ ધ્યાન સાધન છે. અનુભવ પછી જેનો અનુભવ થયો છે એમાં રમણતા હોય. પણ સાથે કર્મઉદયની ધારા પણ છે. જ્ઞાની એ ધારામાં જોડાતો નથી. જુએ છે, જાણે છે પણ જોડાતો નથી. એ ધારામાં ઉપયોગ જાય છે ખરો પણ જ્ઞાન એ ઉપયોગને ટકવા દેતું નથી અને ઉપયોગ સ્વભાવ તરફ વળે છે. એ ગાળામાં ધ્યાન છે. ધ્યાન સાધન તરીકે, પણ આત્મ અનુભવ પછી ધ્યાન કરવાનું રહેતું નથી; ધ્યાન રહે છે. પર્યાયની ધારા છે પણ પર્યાય કોની? દ્રવ્યની. ગુણની ધારા છે પણ ગુણ કોના? દ્રવ્યના. એટલે ધારા તો પર્યાય, ગુણ વટાવી દ્રવ્યમાં જ ઠરે. મૃત્યુ પણ બોધપ્રદ પ્રસંગ છે. દેહમાં આત્મા આવીને વસે છે, એને નિમિત્ત બનાવી રાગદ્વેષ કરે છે. કર્મની પરંપરા વધારે છે, કાં તો રાગ દ્વેષનો ક્ષય કરે છે ને કર્મની પરંપરા તોડે છે. જે કર્મની પરંપરા તોડવામાં દેહને નિમિત્ત બનાવે છે. એ જ ખરેખર દેહનું મૂલ્ય જાણે છે. એમ કહેવાય. જન્મ, વ્યાધિ, જરા, મૃત્યુ દેહની આ સ્વાભાવિક અવસ્થાઓ છે. એને અંદર રહેલો જુએ છે, પણ જોતાં ન આવડે તો હર્ષને શોક કરે છે. જોતાં આવડે તો સાક્ષીભાવે તટસ્થ રહે છે. કષાય મંદતા થઈ હોય તો પણ આત્માના વિકાસ માટે અવસર બની શકે, પણ એ પાછા તીવ્ર પણ થાય, પણ કષાયની પ્રકૃતિ ખસી જાય એ મહત્ત્વનું છે. ચેતનાના અંશો ખૂલતા નથી ત્યાં સુધી સાધના અધૂરી છે. પણ એમાં એક ગૂઢ ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy