SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-પત્ર જપ રહસ્ય છે. આત્માના આઠ રૂચક પ્રદેશો તો સદાય ખુલ્લા છે, નિરાવરણ છે, આત્માના અસંખ્યાત પ્રદેશોમાંથી આઠચક પ્રદેશ સ્વભાવે જ કાયમ નિર્મળ છે. એટલે ચેતનાનો એ અંશ ખુલ્લો છે જ એ માટે તમારા પુરુષાર્થની જરૂર નથી પણ જે અંશ ખુલ્લો છે એને ધ્યેય બનાવવામાં આવે, એટલે ચેતનાનો ઉપયોગ એમાં ઢાળવામાં આવે તો બાકીના પ્રદેશો ખુલ્લા થતા જાય. નિરાવરણ પ્રદેશોમાં ચેતનાનો ઉપયોગ ઠરે એ જ ધ્યાન છે, અને એ જ ધ્યાન આવરણને ભેદીને બાકીના પ્રદેશોને ખુલ્લા કરે છે. એટલે જે અંશ ઉઘાડો છે એને લક્ષમાં લઈને આખો અંશી છે અને એ એવો જ નિરાવરણ છે, એવી શ્રદ્ધા કરી, ઉઘાડા અંશમાં ચેતના રમતી થાય તો ધ્યાનની એક ગૂઢ પ્રક્રિયા બની જાય અને એ ધ્યાન જ આવરણને તોડવાનું કામ કરે. એટલે સ્વભાવમાં પરિણમવાનો તો પૂર્ણ અવસર છે જ. આ ન સમજાય ત્યાં સુધી બહિર્મુખ અવસ્થા રહેવાની. વિચારના બળ ઉપર સાધના નહિ થાય, એ બળ કોઈ શાશ્વત બળ નથી. શ્રદ્ધાના બળ ઉપર જ સાધના થાય. શ્રદ્ધા એટલે દર્શન, દર્શન એટલે જોનારને જોવો. જોનારને જોવાનું બની જાય તો જ શ્રદ્ધા થાય. એ શ્રદ્ધા અખૂટ બળ છે, દિવ્ય બળ છે. એ બળે જ જીવ સાધનામાં ટકવાનો. વૈચારિક બળ તો તૂટવાનું જ અને જીવ પહેલાં જયાં હતો, જે જોયું હતું, જયાં રમ્યો હતો ત્યાં જ પહોંચી જવાનો, કારણ એ જોયું છે. જાણ્યું છે, પરિચિત છે, અનુભવ્યું છે એટલે એ તરફ જ ઢળવાનો. વિચાર એ તાંતણો છે પણ તમે જાગૃત હો તો જ એ તાંતણાને પકડી શકો ને? જો આ તાંતણો પકડાય તો વ્યવહારના કામો થશે, પણ બહુ ઊંડી વાત તો એ છે કે વ્યવહારમાં જયારે, જેમ, જે રીતે થવાનું હોય તેમ થાય છે એ બધું નિયત છે, એની રચના થઈ ચૂકી છે, એ રચના ક્રમે ક્રમે પ્રગટ થાય છે એટલું જ. અને એ રચના વખતે તમારે જે પાઠ ભજવવાનો છે, કર્મ કરવાનું છે, એ તમે કરવાના, એમાં ભળવું ન ભળવું પ્રશ્ન જ કયાં છે? પણ અંદરમાં આસકિત છે, અહંકાર છે, અજ્ઞાન છે, રચના વિષે અભાન છે માટે ઉધામા છે. વિચાર, યોજના, આયોજન, ક્રિયા બધું જ થાય, પણ અતલ ઊંડાણમાંથી એક ધ્વનિ આવતો હોય છે જેમ થવાનું હોય છે તેમ થવાનું છે માટે પકડ રાખ્યા વિના તું ચાલ્યો જા” એટલે વ્યવહારનાં કામો પૂરા થશે તો પણ એ અંદર ડૂબશે તો નહીં જ. જીવનમાં સાધના માટે ગુરુની જરૂર છે અને છે જ. જીવનમાં સદ્ગુરુ જેને મળ્યા એને બધું જ મળ્યું, મોક્ષ મળ્યો. અને સદ્ગુરુ જેને નથી મળ્યા એને કંઈ જ નથી મળ્યું. માટે જ ગુરુની સેવા ભકિત કરતાં આજ્ઞાનું મહત્ત્વ છે. પ્રસંગ વ્યવહારનો હોય ૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy