SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન-પત્ર જપ ૯૦) ધ્યાનમાં જયારે ચેતના ઊતરે છે ત્યારે અંદર એક રસાયણિક પ્રક્રિયા થાય છે. આત્મપ્રદેશોની સાથે જે કામણ વર્ગણાના પરમાણુઓ ચોંટયા છે, એ પરમાણુઓમાંથી સ્નિગ્ધ સ્પર્શ બનતો જાય છે. અર્થાત્ એ પરમાણુઓમાં જે ચીકાશ છે, તે ચીકાશ બળતી જાય છે. ચીકાશ બળવાના કારણે પરમાણુઓમાં આત્મપ્રદેશો સાથે ચોંટી રહેવાની શકિત નષ્ટ થાય છે. બીજી બાજુ પરમાણુઓમાં સ્નિગ્ધ રસ, ચીકાશ ઉત્પન્ન થાય તેમાં નિમિત્ત રૂપ જે ભાવ, એ ભાવ ધ્યાનમાં થઈ શક્તો નથી. પરિણામે પરમાણુઓ ખરે છે અને આત્મપ્રદેશો નિર્મળ બનતા જાય છે. એ સાચા અર્થમાં શુદ્ધ થાય છે. માટે ધ્યાનને અગ્નિ કહ્યો છે. અગ્નિ પ્રજ્વલિત થાય છે ત્યારે જેમ મળ બળી જાય છે તેમ ધ્યાન અગ્નિ ચીકાશને ખતમ કરે છે. ધ્યાનમાં તો આત્મપ્રદેશો નિષ્કપ બને છે. આત્મપ્રદેશોનું નિષ્કપ રહેવું એ જ ધ્યાનનું શ્રેષ્ઠ પરિણામ છે. ધ્યાન એટલે નિષ્કપ કંપ રહિત, સ્પંદન રહિત અવસ્થા. એ જ સાચા અર્થમાં અક્રિય અવસ્થા છે. આ આત્મપ્રદેશોનું કંપન ન થાય તે અકંપ અવસ્થા આવે એ જ શુકલ ધ્યાનની ઘટના છે. અકંપ અવસ્થા-આત્મપ્રદેશોની અકંપ અવસ્થા એ જ શુકલ ધ્યાનનું હૃદય છે. માટે ધ્યાનની તમામ પ્રક્રિયાઓ આ લક્ષ્ય થવી જોઈએ. પરિણામ - અધ્યવસાય - ભાવ એ જ કંપમાં નિમિત્ત છે. તે તે વર્તમાનકાળનું ઉદય કર્મ એ જ ભાવમાં નિમિત્ત છે અને એ ઉદય તરફ ઢળવું એ જ અધ્યવસાય અથવા પરિણામ છે. ધ્યાનમાં ચેતના ચૈતન્યમાં સ્થિર થાય છે. આ સ્થિરતા ચેતનાની, ચૈતન્યમાં સ્થિરતા એ જ સ્પર્શ છે, એ જ અનુભૂતિ છે, એ જ સંવેદન છે. માટે ચેતના એ તરફ ઢળે, ઢળે એટલે ઉદયકર્મમાં જોડાણ થતું નથી, પરિણામે જોડાણ પછીની તમામ પ્રક્રિયા રદ થાય છે. એટલું જ નહીં પણ રિવર્સ થઈને, પાછા ફરીને પરમાણુઓમાં રહેલી ચીકાશ ન થવાના કારણે પરમાણુઓ ખરે છે. આ ક્ષરણે-ખરવાપણું એ ઘટના શુકલ ધ્યાનનું હૃદય છે. ધ્યાનમાં ચેતના ઊંડી ઊતરે એ માટે સાત બાબતોથી સૌથી પહેલા મુકત બનવું પડશે (૧) બહુ પ્રમાદવાળી ચર્યા – અપધ્યાન (ર) વિષય લોલુપતા (૩) કાલુષ્યતા - કલુષિત ભાવો (૪) પર પરિતાપ - પરપીડન (પ) પરપરિવાદ - નિંદા (૬) ઈન્દ્રિયોની આધીનતા (૭) બિન જરૂરી શુભકાર્યમાં જવું. આ સાત બાબતો છૂટે તો જ ચેતના ધ્યાનમાં ઊતરી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy