SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જોરદાર પ્રકાશકીય નાનપણથી જ વિવિધ આધ્યાત્મિક ક્રિયાઓ, અનુષ્ઠાનો, પ્રભુની ભક્તિ, સ્નાત્રપૂજા અને પૂજાની ઢાળો પ્રત્યે રુચિ હતી. બચપનની પૂર્ણાહુતિ અને યોવનના પગરણ વચ્ચે એક એવો વિચાર ફૂર્યો હતો કે નિર્વિકલ્પ દશા આવ્યા વિના તત્વની, આત્માની અનુભૂતિ ન થાય. એ ઉમર લગભગ સત્તર વર્ષની હતી અને એવી એક નિર્વિકલ્પ દશાની ઝંખના સાથે ચિત્તમાં સંશોધન શરૂ થયું. અભ્યાસકાળ દરમ્યાન પણ અંતરના ઊંડાણ ખેડવાની ઈચ્છા રહેતી અને તેથી જ વિવિધ ધર્મના સંતોને મળતો અને સમાધિ પ્રાપ્ત કરવા વિષયક માહિતી મેળવવા પ્રયત્ન કરતો. ઘણાં સંત મહાત્માઓનો પરિચય કરવા કોશિશ કરતો, નમસ્કાર મહામંત્રના આરાધક પંન્યાસ પ્રવર પ. પૂ. ભદ્રંકરવિજયજી મહારાજે મને તત્ત્વાર્થાધિગમ સૂત્રના અભ્યાસ તરફ ધ્યાન દોર્યું. ત્યાર બાદ વિશેષ ઉપકાર પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી માનતુંગસૂરી મહારાજે કર્યો, પ્રશમરતિ, આનંદ ધનજીની ચોવિસી તથા કર્મગ્રંથ આદિ ગ્રંથોનો અભ્યાસ ખૂબજ રસપૂર્વક કરાવ્યો અને સાથે સુજ્ઞશ્રી કાન્તિલાલ લહેરચંદ શાહે ખૂબજ રસપૂર્વક મને અભ્યાસ કરાવ્યો. છતાં અંદર સમાધાન થયું ન હતું. તે વખતે હું પાટણ જનરલ હોસ્પિટલમાં સર્વિસ કરતો હતો. પછી પાટણ ખાતે પ્રાઈવેટ પ્રેકટીસ કરતો હતો. જ્યારે સરકારી નોકરીમાંથી પાટણ ખાતે હતો ત્યારે ડૉકટર મિત્રે ધ્યાન દોર્યું કે એક યોગી બટુકભૈરવની વાડીમાં બિરાજમાન છે અને યોગ ધ્યાન પ્રત્યે વિશેષ પ્રયત્ન કરાવે છે. અને બીજે જ દિવસે એટલે ઈ.સ. ૧૯૭૧ના લગભગ અંતમાં એ યોગી ગુરુજી પાસે જવાનું થયું. પ્રથમ દર્શન અને વાતચીતમાં જ અનાયાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy