SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતીતી કથા તો શું થાય છે? લોખંડના કટકા જુદા જુદા છે. એમાં હજારો પરમાણુ છે. સળિયા, જાળી, કોદાળી, પાવડો, ખલ, ચમચો, દસ્તો, તાવેતો પણ અગ્નિ પર ચઢયા પછી એ બધા ઓગળી ગયા એટલે એક રસ થયો. ત્યારે પૂછો કે આમાં શું શું છે? તો ઘણું છે. પણ અત્યારે શું છે? કંઈ નહીં. બધું એક રસ છે. જ્ઞાનીના અનુભવમાં એક રસ છે. અભેદ છે. માટે જ્ઞાની પાસે રહેવું એક વાત છે અને અંતેવાસી બનવું બીજી વાત છે અને સમર્પિત થઈને રહેવું એ તો અલૌકિક વાત છે. માટે જ્ઞાની પાસે રહેનારા પણ ઘણાયે પામતા નથી અને દૂરથી આવનારો તત્ક્ષણ પ્રાપ્ત કરે છે. જ્ઞાનીની અનુભૂતિમાં જગતનું વૈવિધ્ય નથી. માટે જગત નથી, માટે દશ્ય નથી, માટે વસ્તુ નથી, માટે ભેદ નથી, માટે વિકલ્પ નથી. જ્ઞાની અખંડમાં રેલે છે અને ખંડમાં ઊભો છે. પણ ત્યારે જ્ઞાની કહે છે જુદુ જુદુ પણ અનુભવે છે તો બધું એક જ. ભોગોમાં જીવન બે રીતે જાય છે. (૧) સ્વયંપ્રેરિત (૨) પરપ્રેરિત. અજ્ઞાની સ્વયંપ્રેરિત છે. એને ભોગોમાં રસ છે. ત્યાગી, અજ્ઞાની હોય તો પણ ભોગોનો રસ હોય તો એ પણ સ્વયંપ્રેરિત છે. જ્ઞાની પરપ્રેરિત છે. એને ભોગોનો રસ તૂટયો છે અને આનંદનું કેન્દ્ર જડયું છે. એટલે રસ તો તૂટયો છે. તો હવે ભોગોમાં કેમ જાયછે? તો કર્મઉદયના ધક્કાના કારણે જાય છે. લેણ-દેણ પૂરી કરવા માટે જાય છે. માટે એ ભોગોમાં દેખાતો હોય તો પણ અંદરથી બહાર છે. પણ આ ગહન વાત છે. કાચા પારા જેવી છે. ન સમજાય તો અનર્થ થાય. પ્રેમનો પ્રવાહ જીવનમાં વહેવો એ અત્યંત મહત્ત્વનું છે. ચેતના પ્રેમમય બને એ અગત્યનું છે. અને એ ધારા સપુરુષને સ્પર્શીને જયારે વહે ત્યારે એ ધારાનું ફિલ્ટર' શુદ્ધિકરણ થાય છે. એટલે એ ધારા શુદ્ધ બનીને વહે છે. માટે જ તો એક વખત આ પ્રેમની ધારા વ્યકિત, વસ્તુ, પદાર્થ ને પ્રકૃતિમાંથી સંપૂર્ણતઃ છૂટી પુરુષમાં જ વહે, ત્યાં એનું શુદ્ધિકરણ થાય. ત્યાંથી એ પ્રાણીમાત્રમાં પદાર્થ માત્ર તરફ વહે ત્યારે એ પ્રેમના સીમાડા તૂટે છે, કાંઠા તૂટે છે. એ અસીમ બને છે. સાગર બને છે. પ્રાણીમાત્ર સાથે તે અનુભવાય છે. અને ત્યારે એમાંથી રાગ-દ્વેષ છૂટે છે ને વીતરાગતા પ્રગટે છે. O Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy