SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ડાહીતી હવા એ સમજવું મુશ્કેલ છે. જ્ઞાનીને વ્યાધિ, રોગ થાય પણ જ્ઞાનીમાં રિએકશન (પ્રતિક્રિયા)તો ન જ હોય, એ મુકત હોય. એ અંદરથી જે બહાર આવે છે એને પસાર થવા દે છે. જ્ઞાની ઉપયોગ મૂકીને કેમ જોતા નથી? - જ્ઞાનીને કુતૂહલ નથી એટલે અસાધારણ કારણ સિવાય જ્ઞાની બહાર જોવા ઉપયોગ ન મૂકે. પણ જ્ઞાની જયારે બહાર જુએ છે ત્યારે એને યથાર્થ દેખાય છે. જેમકે સ્ત્રી દેખાય છે, સ્ત્રીનો દેહદેખાય છે પણ જ્ઞાનીને એમાં રહેલી ચેતના પણ દેખાય છે. એનો દેહ પણ દેખાય છે, એમાં પરમાણુઓની અદ્ભુત રચના છે, એ પણ દેખાય છે, એ રચના કાયમ નથી એ પણ દેખાય છે અને આ અદ્ભુત રચના વિકૃત થતાં વાર નહીં લાગે એ પણ દેખાય છે અને એના દેહમાં કોઈ જાતનું સુખ નથી એ પણ દેખાય છે, એને ભોગવવામાં સુખ છે એ માનવુંભ્રમ છે તે પણ દેખાય છે. એના ભોગમાં આસકત બનવાથી ચેતના ડૂબે છે, એ પણ દેખાય છે. - પરમ જ્ઞાની જે કંઈ કહે છે તે જાણીને કહેતા નથી પણ તે જેના વિશે કહે છે તેને પ્રત્યક્ષપણે જોઈને કહે છે. એટલે એમનું દર્શન અખંડ છે એટલે જ્ઞાનમાં વસ્તુ પૂર્ણ આવી પણ જયારે કહેવાનો પ્રારંભ કરે છે ત્યારે શબ્દનો આધાર લેવો પડે છે. એ શબ્દ ખંડિત છે. માટે મૌનમાંથી વાણીમાં ઊતરે છે, ત્યારે તે અસત્ય બની જાય છે. હવે એ જ્ઞાનીને સાંભળનારનો ક્ષયોપશમ કેવો છે? એને પોતાનો મત છે, માન્યતા છે. એટલે જ્ઞાનીને પોતાના ઢાંચામાં ઢાળે છે. એ જ્ઞાનનો પ્રવાહ વહેતો થયો તે ખંડિત થયો, માટે તે શૈલી ખોવાઈ ગઈ. જ્ઞાનીની પ્રત્યેક વાત પૂર્ણ છે પણ સાંભળનાર જ્ઞાનીને સાંભળતો નથી. એ પોતાનો રંગછાંટીને પોતાને સાંભળે છે. માને છે કે હું જ્ઞાનીને સાંભળું છું પણ આ ભ્રમ છે કારણ એ જ્ઞાનીને સાંભળતો નથી. માટે શ્રવણ માટે ત્રણ શરતો છે (૧) સ્વચ્છંદનો ત્યાગ (ર) આગ્રહનો ત્યાગ (૩) મતનો ત્યાગ, એટલે એ સન્મુખ થયો, એ સ્ટેન્ડીંગ પોઝીશનમાં આવ્યો એટલે ગ્રાહક થયો, રીસેપ્ટીવ થયો. એ થતું નથી અને હજારો વર્ષ જ્ઞાની પાસે રહે છે. પણ એમ નથી, એ પોતાની સાથે રહે છે, જ્ઞાનીની પાસે નહીં. છે જ્ઞાની પાસે, પણ રહે છે પોતાની સાથે. તે અંતેવાસી-અત્યંત નિકટ રહેનારો – શરીરથી છે, પણ હૃદયથી બહુ દૂર છે. કારણ મન, બુદ્ધિ અને કર્મકાંડ અને જ્ઞાનીથી દૂર રાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy