SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતીના ઘણા જોડાતો નથી. આ અવસ્થાને જ્ઞાની જ જાણી શકે, અજ્ઞાની શાસ્ત્રથી આ જાણે પણ સમ્યગ્રષ્ટિ ન હોય ને સમ્યગ્દષ્ટિના ઉદય સાથે પોતાની તુલના કરે તો તે દુરાચારી છે, જ્ઞાનીમાં એ દુરાચાર નથી. એ ભોગવતો નથી, જો એ કર્તા નથી તો ભોક્તા પણ નથી. પૂર્વકર્મને ભોગવ્યા સિવાય છૂટકો નથી, એમ કહેવું ખોટું છે. જ્ઞાની પૂર્વકર્મને પણ ભોગવતો નથી. જે કર્તા નથી તે ભોકતા પણ નથી, પણ પૂર્વ કર્મને ઉદયમાં આવવું પડે તે ઉદય પ્રમાણે શરીર, વાણી, મન ક્રિયા કરે, તે વખતે પણ જેમ તે કર્તા નથી તેમ તે ભોકતા પણ નથી. એ જ્ઞાતા જ છે, સાક્ષી જ છે, એટલે દુઃખને પણ નથી ભોગવતો, દુ:ખને જાણે છે, સુખને પણ નથી ભોગવતો સુખને જાણે છે અને જુએ છે. આ ભોગ, આ ભોગવનાર, ભોગવાય છે એ બધાથી ચેતના જુદી છે, માટે એ ભોકતા નથી પણ ભોગનો સાક્ષી છે, એની હાજરીમાં થાય છે. સમજાય છે? આ સહેલું નથી. ભોગો ન ભોગવાય તે સહેલું પણ ભોગ વખતે હાજર હોવા છતાં, ભોકતા ન બનવું એ તો આશ્ચર્ય છે. ' એ એમના માટે સહજ ખરું પણ એમાં પણ એક ઊંડી વાત છે અને તે એ કે ભોગ વખતે હાજર રહેવું પડે છે, એ એમના માટે અસહ્ય વેદના છે, પણ એના કરતાં એક જુદી અવસ્થા છે, જયાં ભોગ પણ હાજર થતા નથી. જ્ઞાની માટે ભોગ હાજર હોય ને એ તે વખતે એ હાજર હોય તો જ્ઞાની પસાર - જરૂર થાય છે પણ એને ઠીક તો નથી લાગતું પણ પસાર થાય છે. એમાં જ્ઞાનીનો જેમ સ્વીકાર નથી તેમ વિરોધ પણ નથી. એ એને પસાર થવા દે છે. આ અતિસૂક્ષ્મ વાત છે. જેમ ભોગી ભોગમાં જોડાય છે, તન્મય થાય છે, તરૂપ થાય છે, ડૂબી જાય છે, પરંતુ ભોગીના શરીર, વાણી, મન ને સાથે ચેતના પણ ડૂબી જાય છે, પૂરા ડૂબી જાય છે. જયારે જ્ઞાની પણ કર્મના દબાણથી ભોગમાં જોડાય તો છે, કર્મના આમંત્રણથી જોડાય તો છે અને જોડાવું પડે એવું કર્મનું જોર છે અને જ્ઞાની જોડાય છે અને એના શરીર, વાણી, મન ભોગીની જેમ પૂરા ડૂબે છે પણ એની ચેતના બધાથી બિલકુલ જુદી ને ઉપર તરે છે. આ કઠિન છે એમ નહીં, આ અત્યંત કઠિન છે, એની ચેતના પૂરી ડૂળ્યા વગરની ને ઉપકરણો શરીર, ઈન્દ્રિયો મન પૂરા ડૂબેલા. આ પરમ આશ્ચર્ય છે. આનું કારણ એ પણ છે કે ક્રિયાથી કરનાર નહિ ઓળખાય, ક્રિયા થાય ત્યારે તો કરનાર જ દેખાય ને અન્ય જોનાર જે મૂલવણી કરે તે ક્રિયા સાથે એને ભેળવીને જોશે પણ ક્રિયા વખતે કરનાર નથી પણ જોનાર છે ને ક્રિયા થતી હોવા છતાં એ જોનાર છે, ६८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy