SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શાલીની દશા એના પ્રત્યે પરિપૂર્ણ શ્રદ્ધા છે ત્યારે એના દ્વારા પ્રતિપાદિત જે તત્ત્વ છે તે યથાર્થ છે. એમાં જડ જુદું, ચૈતન્ય જુદું, એનો સંપૂર્ણ સ્વીકાર એ શ્રદ્ધા છે, અથવા યથાર્થ જ્ઞાન છે. પણ અનુભૂતિ નથી. આ વૈચારિક ભેદજ્ઞાનની દશા છે અને આત્માનુભવ થયા પછી જે જડ અને ચૈતન્યનો ભેદ અનુભવાય છે તે પારમાર્થિક ભેદજ્ઞાન છે. સમ્યગુદૃષ્ટિ રાજય વહીવટ કેવી રીતે કરે? આ વાત સમ્યગૃષ્ટિની છે, તેમાં પણ શાંતિનાથ કુંથુનાથ, અરનાથ તો પરમ નિર્મળ સમકિતવાળા ને ચક્રવર્તી છે. બ્રહ્મદત્તને સુભૂમ સિવાય બીજા ચક્રવર્તીઓ સમ્યગ્દષ્ટિ છે. જેને સમ્યગદર્શન થયું છે તેવી વ્યકિત એનો વ્યવહાર અને એની આંતરિક ધારા બે વચ્ચે શું મેળ છે? સમ્યગદર્શન જેને થયું છે એને સમ્યગદર્શન થતાં જ અંદર બે ધારા પડી જાય છે. બે પ્રવાહ વહેતા થાય છે, બે ભાગ પડી જાય છે. (૧) જ્ઞાન ધારા (૨) કર્મ ધારા. સમ્યગદષ્ટિને ભૂતકાળ છે. ભૂતકાળમાં સમ્યગદર્શનની ગેરહાજરીમાં એને કર્મો તો કર્યા છે, ભાવો, લાગણીઓ, સંવેદનો તો કર્યા છે, અને એ કર્મ ફળ આપવા સમર્થ પણ હોય તો સમ્યગૃષ્ટિને કર્મ છે, કર્મનો ઉદય છે પણ ફરક એ છે કે સમ્યગ્દષ્ટિ થતાં જ એ દ્રષ્ટાબને છે, જ્ઞાતા બને છે. સાક્ષી બને છે. એને દ્રષ્ટાને દૃષ્ટિથી બરાબર જોયો છે એટલે એની સમગ્રધારા ભાવની ધારા દ્રષ્ટા તરફ વહે છે, અને એ સાક્ષી રહે છે, જોનાર રહે છે. એટલે કરનાર મટી જાય છે. પણ થાય છે, થાય છે એનું કારણ એ નથી, પોતે નથી, પણ પૂર્વકૃત કર્મ છે, ભાવ છે, સંવેદન છે. એ સક્રિય બને છે, એને ઉદય કહે છે. અને એ ઉદયભાવ ભિન્ન ભિન્ન પ્રકારનો રહેવાનો, પણ કોઈ પણ ઉદય, ગમે તેવો ઉદય અંદર સક્રિય થાય ત્યારે સમ્યગદષ્ટિ તો કરનાર નથી, જ્ઞાતા છે અને કર્મ(પોતે) કરનાર છે. કર્મ કરનાર છે, એટલે યંત્રવત્ એની મેળે ઉદયમાં આવે છે. એ ઉદયમાં જે જોનાર છે, એ ઉદયમાં જોડાતો નથી, છતાં જાણનાર સાક્ષી હોવા છતાં એની ચેતના હજુ પૂરી બળવાન નથી. એ કારણે તે વખતે એનામાં રાગદ્વેષની ધારા કામ તો કરે છે, અને એ ક્રિયા વખતે તથા પ્રકારના રાગ દ્વેષ પણ થાય છે, એ થવા છતાં એ અંદરથી જુદો ઊભો છે, જોનાર છે. એમાં ઉગ્રતા દેખાય, તીવ્રતા દેખાય, પણ એકતા નથી, તાદાત્મ નથી. એ કારણે એ જુદો જ રહે છે. યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરે છે. એ વખતે એ હાજર જરૂર છે, પણ કર્મના કાર્યને જોનારા તરીકે. એ અંદર ૬૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy