SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કાકીની દવા બહાર પસાર થઈ રહયો છે, અને છતાંય કયાંય તાલ તૂટતો નથી. ત્રાજવું, ત્રાજવાની દાંડી બિલકુલ સમતોલ રહે છે, રાખે છે, રાખી શકે એ જોવા મળે અને આ જ ધર્મ છે. ઉદયાધીન અવસ્થામાં ભાવની ધારા ભંગ થતી નથી, એ જ્ઞાનીમાં પ્રગટ જોવા મળે છે. પણ આ જોવા જેટલી સમજ, કૌશલ્ય, ધીરજ, વિવેક, વિચક્ષણતા, સૂક્ષ્મ દૃષ્ટિ શિષ્યમાં જોઈએ, અને તે વખતે પણ જ્ઞાનીને ઉદયથી પર, કર્મથી ભિન્ન, ક્રિયાથી અલગ ને તટસ્થ, ઉદાસીન, સાક્ષી, વિરકત જોવાની સૂક્ષ્મ દૃષ્ટિ જોઈએ. આ ન હોય તો શિષ્ય મૂંઝાય. કાં પ્રેમની ધારા મંદ બને કાં ભાવની ધારા તૂટે. કાં વિપરીત કલ્પના કરી બેસે, કાં તો ખોટી મૂલવણી કરે, કાં તો ભૂલભૂલામણીમાં પડે, કાં તો શાસ્ત્રોના શબ્દો પકડી રાખી શબ્દોથી માપવા જાય અને શિષ્ય ભુલાવામાં પડે છે, એ એની ક્રિયાને, કર્મને, વ્યવહારને જુએ છે પણ એનાથી જ્ઞાની સાવ તદ્દન જુદો, અલગ છે, એ જોઈ શકે નહીં તો જ્ઞાની નહિ ઓળખાય માટે જ જ્ઞાનીના નિકટમાં રહેવાની પણ યોગ્યતા જોઈએ, પાત્રતા જોઈએ અને તે વખતે આ ધારા વહેવી જોઈએ. માટે જ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહયું છે “જ્ઞાની જયારે પ્રારબ્ધ વેદતો હોય ત્યારે કાચાપોચાએ પાસે રહેવું.” એવા ગંભીર વચનો કયા છે. તે યથાર્થ છે. ખરેખર તો જ્ઞાની પાસે રહેવાની, સર્વ શ્રેષ્ઠ પળ, સર્વોત્તમ પળ, સર્વશ્રેષ્ઠ અવસર આ જ છે. આ જ ધન્ય અવસર છે અને જ્ઞાનીને એ જ અવસ્થામાં જોવા જેવા છે. પણ શ્રીમદજીએ નિષેધ કેમ કર્યો? આ જોવા માટેની ક્ષમતા જોઈએ. એ વાતને સ્પષ્ટ કરી છે. સપુરુષના અત્યંત નિકટમાં રહેવાનું પ્રાપ્ત થાય એ જરૂરી છે. જ્ઞાની પુરુષથી દૂર રહેતાં શિષ્યને જે અંતરધારા વહે છે તે જધારા જયારે જ્ઞાની પુરુષની પ્રત્યક્ષ હાજરીમાં વહે ત્યારે જુદો જ અનુભવ થાય છે. ચૈતન્યમાં જે ભેદ દેખાય છે તે એક અપેક્ષાએ અવાસ્તવિક છે. કારણ એ ભેદ ઉપાધિ-જનિત છે. ઉપાધિ કર્મ છે. એટલે જોનાર જયારે ઉપાધિ તરફથી જોશે તો એને ચૈતન્યમાં વિવિધતા-ભેદ દેખાશે. પણ જો નજર-દષ્ટિ ઉપાધિને ભેદી ગઈ તો ઉપાધિથી પર ચૈતન્યમાં ભેદ નથી. એ મૂળચૈતન્યનિરુપાધિક છે. પછી તો સિધ્ધની ચેતના હોય કે સાધકની હોય કે સંસારીની, ત્યાં ભેદ નથી. એ ભૂમિકામાં તું, હું, તે નથી. જે છે તે છે. છે એટલે ભેદજ્ઞાન બે પ્રકારે છે. પહેલો પ્રકાર જેમાં પુરુષનો સમાગમ છે, ૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy