SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનીતી દશા પરમાર્થનો માર્ગ ભિન્ન નથી પણ સાધન ભેદ રહેવાના. આ જો યથાર્થ ન સમજાય તો પ્રરૂપણામાં ક્ષતિ રહેવાની જ. ૭૨ સાધકમાં ઘટના ઘટવી એ કાળનો પ્રશ્ન છે. વહેલું ને મોડું એ કાળનો પ્રશ્ન છે. આ વિચાર કાળની દૃષ્ટિએ છે. પરિપકવતામાં કાળ નિમિત્ત છે અને અંતરાયભૂત પરિબળો સહજ રીતે શમી જાય ને પ્રવાહ વહેતો થાય તે મહત્ત્વનું છે. માટે જ ભાવ અને આવેશ બન્નેમાં પાયાનું અંતર છે. ભાવ તો જયારે અંદ૨માંથી અંતરાયભૂત પરિબળો દૂર થાય છે, ખસી જાય છે, ક્ષય પામે છે ત્યારે પ્રગટે છે. જયારે આવેશ તો વાંચનથી, વિચારથી અને કેટલાક અંશે અંતરાયભૂત પરિબળો મંદ પડવાથી પ્રગટે છે. એ આવેશ, એ ઉભરો, શમી જવાનો. નદીમાં જેમ પૂર આવે ત્યારે નદી બન્ને કાંઠે ભરેલી દેખાય પણ જયારે પૂર ઓસરી જાય ત્યારે નદી સાવ ખાલીખમ બને છે. એમાં એક પણ ટીંપુ પાણી નથી હોતું. ભાવની ધારા તો અખંડ ટકે છે, કાયમ ટકે છે, એ જ ધારા સત્પુરુષ સાથે સાધકને જોડી આપે છે. સાધકને સત્પુરુષ સાથે ધારા જોડી આપે છે, ત્યારે શિષ્યત્વ પ્રગટે છે. આ ધારા સત્પુરુષથી દૂર રહેવા છતાં, દેહથી, દૃષ્ટિથી, દૂર છતાં પ્રગટ થાય તે સારું છે, પણ આ સુગમ છે અને સહેલું છે, પણ આવી જ ધારા સત્પુરુષની પ્રત્યક્ષ હાજરીમાં, એમના અત્યંત નિકટ સહેવાસમાં રહેવાનું થાય ત્યારે પ્રગટવી જોઈએ, વહેવી જોઈએ અને ટકવી જોઈએ એ અત્યંત મહત્ત્વની ઘટના છે. કારણ પ્રત્યક્ષ હાજરીમાં સત્ પુરુષની દરેક ક્રિયા, દરેક કર્મ, દરેક પ્રવૃત્તિ જોવાનું પ્રાપ્ત થાય છે. એટલે જયારે એમનામાં ઉદયની ધારા સાકાર સ્વરૂપે પ્રગટ થતી હોય, પ્રારબ્ધ જ્યારે પોતાનો ખેલ બરાબર ખેલતું હોય ને જયારે સત્ પુરુષ એ પ્રારબ્ધને, પ્રારબ્ધથી અલગ રહી, સાક્ષી રહી, જ્ઞાતા ભાવે, તટસ્થ રીતે, અનાસક્ત બની, વિરકત ભાવે જયારે વેદતા હોય, અનુભવતા હોય અને પ્રારબ્ધથી સંપૂર્ણ વિરકત છતાં પ્રારબ્ધાધીન થઈને પસાર થતા હોય, તે વખતની ક્રિયા વખતે, કર્મ વખતે, શિષ્ય અત્યંત નિકટમાં હાજર રહીને જોતો હોય, અને ત્યારે એનામાં આ ધારા વહેતી હોય એ શિષ્યત્વની ચરમ કસોટી છે, એ સર્વોચ્ચ અવસ્થા છે. અને ત્યારે જ શિષ્યને હજારો શાસ્ત્રોનો નિચોડ મૂર્તિમંત જોવા મળે. જ્ઞાનીની અદ્ભુત કલા જોવા મળે, જ્ઞાનીનો પ્રચંડ પુરુષાર્થ જોવા મળે, જ્ઞાનીનું દિવ્ય સામર્થ્ય જોવા મળે. જ્ઞાનીની અંતરની પ્રચંડ ધારા જોવા મળે. અહીં જ્ઞાની અંદરમાં ઠર્યો છે ને Jain Education International For Private & Personal Use Only ૬૫ www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy