SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતીની દશા જ્ઞાની પોતાની મૂળ ભૂમિકા ઉપર રહી સામી વ્યક્તિ જે ભૂમિકા ઉપર છે ત્યાં રહી વ્યવહાર કરે છે. ને ધીમે ધીમે એ વ્યકિતની ભૂમિકા પોતાની જે મૂળ ભૂમિકા છે એવી ભૂમિકા ઉપર એને લઈ જાય છે, લઈ જવાનું લક્ષ રાખે છે. એટલે તે વખતે જ્ઞાની સામાની ભૂમિકા ઉપર ઊતરેલો દેખાય છે. પણ સામો અભાન છે, જ્ઞાની સભાન છે. એટલે જ્ઞાની કરવા છતાંયે કરતો નથી. એ ભૂમિકા એને સ્પર્શતી નથી. કરુણા ભાવ છે. એટલે સહજ રીતે સ્વાભાવિક વહેતી કરુણાની ધારા છે. એમાં કોઈ નિમિત્તની જરૂર નથી. પાત્રની જરૂર નથી. સામે પક્ષે પ્રયત્નની જરૂર નથી. અને અંદરમાં કંઈ પણ વિક્ષેપ એટલે ક્ષોભ નથી. પૂર્ણ છતાં સહજ, ક્રિયા છતાં કર્તા નહીં અને થાય છતાં સ્મૃતિ નહીં. (0) જ્ઞાની કેવી રીતે ઓળખાય? જ્ઞાનીને ઓળખવા સામા પાત્રનો પણ એટલો વિકાસ થવો જરૂરી છે. એ જેટલો જેટલો ઉપર ચઢે, એના જેટલા પડળ ખસે એટલા પ્રમાણમાં વીતરાગ પુરુષનાં દર્શન થાય. કાં તો અનન્ય પ્રેમ હોય તો તત્ક્ષણ દર્શન થાય. જીવનો પોતાનો તથા પ્રકારનો ઉપાડ થવો ઘટે. કોઈના માટે નક્કી કરવાની શી જરૂર? અને કોઈના માટે કહેવાની પણ શી જરૂર? પણ જે યથાર્થ માર્ગ ઉપર હશે ને સત્ પુરુષને આધીન હશે એને જેવું હશે તેવું અંદર અનુભવાશે. જેને યથાર્થ તત્ત્વ નિર્ણય કર્યો છે એને કયાંય અટવાવાનું ન થાય. જેને અનુભવ થયો છે તે પૂર્ણ થયો હોય તો એનું સમગ્ર દર્શન હોય. જેના કારણે પોતે જે રીતે સાધનામાં ગયો છે એ જાણે, અને બીજાઓ પણ ભિન્ન ભિન્ન પ્રકૃતિઓમાં અટવાયેલા હોય તે પણ જાણે. પરિણામે પ્રરૂપણાની વાત આવે તો એમાં ક્યાંય એકાંત ન આવે. ભૂમિકા ભેદે ભેદ રહેવાનો. સાધન ભેદ પણ રહેવાનો અને છેવટે કયાંય રોકાઈને ઊભા રહેવાનું નથી, એ પણ સમજ રહેવાની. એટલે એ જયારે માર્ગ બતાવશે તે એકાંતિક નહીં હોય. પણ જેને ખંડ દર્શન થયું છે એ તો પોતે જે રીતે ગયો છે એ જ રીતે બધા જાય એનો આગ્રહ રાખવાનો. ६४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy