SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતીની શા જ દાંપત્ય પ્રેમ, તેમ જયારે શિષ્યને થાય કે જ્ઞાન નહીં પણ જ્ઞાની જ, અને કશાય માટે નહીં ત્યારે જ્ઞાની માટે ઝંખના જાગી એમ કહેવાય. જ્ઞાન નથી જોઈતું અને જ્ઞાની જોઈએ એમ કેમ? આવું શા માટે? જેને જ્ઞાન જોઈએ છે એને પોતાને ઊભો રાખવો છે. જેને જ્ઞાની જોઈએ છે એને પોતાને મટાડવો છે. પોતે જે છે તે મટવા તૈયાર થાય એટલે એક અર્થમાં મરવા તૈયાર થાય એટલે અક્રિય બની જાય, ત્યારે એનામાં ક્રિયા થાય. એક એવું સૂત્ર છે “પ્રેમ પ્રગટે એટલે જ્ઞાનનો નાશ થાય” એનો અર્થ એમ પણ થાય કે જ્ઞાનનો નાશ થાય ત્યારે પ્રેમ પ્રગટે. પણ આ કેવી રીતે? જ્ઞાન તો સ્વભાવ છે, એનો નાશ કેવી રીતે થાય? પણ એનું ઊંડાણ તો એ છે કે આજે જેને જ્ઞાન કહે છે તે જ્ઞાન નથી, જ્ઞાનનો સંગ્રહ છે એટલે માહિતી છે અને માહિતી જેને મેળવવી છે એનો હેતુ અહનો વિસ્તાર છે. અહંનો વિસ્તાર એ જ્ઞાનની યાત્રા, એવું સમજવામાં આવ્યું છે. આ જ્ઞાન પ્રેમને રોકે છે. માત્ર જ્ઞાન એ પ્રેમનો સ્પર્શ નથી. સ્પર્શનો અર્થ થાય છે, અંદર ઊતરવું. અંદરમાં સમાવી લેવું અને “અંદરમાં સમાવવું” આ ક્રિયાપ્રેમથી થાય.ને આવા પ્રેમની સરવાણી કૃપા છે, અને પા તો થાય કે જયારે કૃપા પાત્ર ન રહે એટલે કૃપા પૂરતો પણ વિકલ્પ ન રહે, ત્યારે જ્ઞાની અંદર પ્રવેશે છે તે કૃપા અને જ્ઞાની અંદર ઊતરે તે પ્રેમ. જેને પુરુષનો યથાર્થ સ્વરૂપમાં સ્વીકાર થયો છે તે પ્રત્યક્ષ સત્પરુષથી વિમુખ રહી શકે નહીં. પ્રત્યક્ષ સત્પષમાં પરોક્ષ જ્ઞાની પુરુષના જેને દર્શન થતાં નથી તેને પરોક્ષ જ્ઞાની માન્યા એમ કહેવાય નહીં. પરોક્ષ જ્ઞાની સાધક માટે ભાવની ભૂમિકા ઉપર ઉપયોગી છે પણ સાધકને એની અવસ્થાનું ભાન કોણ કરાવશે? અને શાસ્ત્ર વાંચીને જો એ પોતાની જાતને જોવા બેસશે તો તેમાં પોતાનો પક્ષપાત આડો આવશે જ. પ્રત્યક્ષ સત્પરુષ જ એને યથાર્થ ભાન કરાવશે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષમાં ત્રણે કાળના જ્ઞાની પુરુષો સમાયછે, આ દર્શન જેને થતું નથી અને જ્ઞાનીને માન્યા ન કહેવાય. પણ જ્ઞાનીને અમે માનીએ છીએ એવો અહંકાર સંતોષાય. એક એવી અવસ્થા આવે છે જયારે સમગ્ર સાધના એક માત્ર જ્ઞાની પુરુષની ભકિતમાં, ઉપાસનામાં, ધ્યાનમાં સમાય છે. એના ચરણના નિવાસમાં સમાય છે ને સાધન માત્ર છૂટી જાય છે અને ચેતન સમગ્ર અશુભથી અને સર્વશુભથી વિરમી જ્ઞાનીના ચરણમાં વિશ્રામ કરે છે. એ સાધકનું સાચું સાધત્વ છે. એવી પળ ક્યારે ને કયારે ૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy