SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતીની શા છતાં જ્ઞાની પુરુષ કોઈ કોઈ સત્ પાત્ર પાસે અંતરંગ જીવનની ચર્ચા કરે છે. એમના નિકટના અંતેવાસીને એ કહે છે. તા. ર૭-ર-૧૯૯૪. પરમ મૌન એ જ તમામ પ્રશ્નોનો જવાબ છે. અમારી અંતરંગ દશા તદ્દન જુદી છે. સ્થૂળ ભૂમિકા ઉપર થઈ રહેલું કર્મનું વદન તદ્દન જુદું છે. પણ બંને વચ્ચે કયાંય વિસંવાદ નથી. અંતરંગ અવસ્થામાં ચેતના જયાં હોવી ઘટે ત્યાં જ છે અને ત્યાં જ રહેશે. જ્ઞાની શું કરવા યાદ આવે અને જ્ઞાની શા માટે યાદ આવે? કારણ જ્ઞાની બહારનો છે એ પોતાને શું કરવા યાદ આવે? એને જયારે એમ થાય છે કે અંદરના જેને માન્યા છે એ શરણ નથી આપતા અને શરણનું કેન્દ્ર અંદર છે ત્યાંથી દૂર રાખે છે. અંદર શરણનું જે કેન્દ્ર છે ત્યાં જ્ઞાની લઈ જાય છે, મારે ત્યાં જવું છે. કારણ ત્યાં શરણ છે અને જ્ઞાની ત્યાં ઊભા છે માટે જ્ઞાની યાદ આવે. તીવ્ર અશરણતા જ્ઞાનીના શરણે લઈ જાય. આજ સુધી આપણે જ્ઞાનને શોધ્યું છે. આપણને જ્ઞાનની વિશેષતા લાગી છે. જ્ઞાનનું મહત્ત્વ લાગ્યું છે અને એ એટલા માટે લાગ્યું છે કે એને જ્ઞાનનું માહાત્મ છે. કારણ જ્ઞાનના કારણે જ્ઞાનીનો વિસ્તાર છે એવું એને લાગે છે એટલે પોતાનો વિસ્તાર કરવો હોય તો જ્ઞાન જોઈએ, માટે એ જ્ઞાની પાસે જાય છે, પણ જ્ઞાની માટે નહીં. એને જ્ઞાની જોઈતો નથી, એને જ્ઞાન જોઈએ છે, એટલે એનું લક્ષ્ય જ્ઞાન ઉપર છે, જ્ઞાની ઉપર નથી. માટે એ જ્ઞાન મેળવે છે પણ બહાર ઊભો છે, જ્ઞાન બહાર ઊભો રાખે છે. એ જ્ઞાની પાસે જ્ઞાની માટે જતો નથી એટલે જ્ઞાન મળે છે, જ્ઞાની છૂટી જાય છે. પણ જયારે જ્ઞાન નહીં પણ જ્ઞાનીને ઝંખશે ત્યારે એનું લક્ષ્ય જ્ઞાન નહીં, જ્ઞાની બનશે, જ્ઞાની જયારે લક્ષ્ય બને છે ત્યારે પ્રેમની ધારા ચાલુ થાય છે, જેમ પતિવ્રતા સ્ત્રીને શું જોઈએ? એને પતિનું ધન, રૂપ, બળ, ગુણ, સત્તા, વૈભવ જોઈએ છે? અને આ પતિ પાસે છે માટે પતિ જોઈએ? પતિનું છે માટે પતિ જોઈએ? જવાબ જો “હા” તો ત્યાં પ્રેમ નથી. શરીર જોઈતું હોય તો પણ ત્યાં પ્રેમ નથી, વાસના છે. પતિવ્રતા એવી ભૂમિકા ઉપર ઊભી છે કે એને પતિનું કાંઈ પણ ન જોઈએ, પતિ જ જોઈએ, તો જ એ પતિવ્રતા, તો ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy