SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સાવલા આંતરિક અવસ્થા કોઈ જુદી જ વાત છે. જીવનમાં સરળતા અને નિરાગ્રહ ભાવો જો હોય તો માનસિક પ્રશ્નો ઓછા થાય. તમારું હૃદય, મન અને બુદ્ધિ જેટલાં સન્મુખ હશે તેટલા પ્રમાણમાં ધારાઓ ઝીલી શકાશે. સફળતા, નિષ્ફળતા માટે મનમાં ઘણા વિકલ્પો ન કરવા. જેને નિષ્ઠા છે તે અવશ્ય સફળ થાય જ છે. જયાં સુધી ચેતનામાં દુઃખનું સંવેદન છે ત્યાં સુધી અંદરમાં રાગનો ભાવ છે. દુ:ખ વિકાર છે. વિકાર વિભાવ છે. શુદ્ધ તત્ત્વમાંથી વિકાર પેદા થઈ શકે નહીં. ત્યારે ચેતનામાં કોઈ એવો અંશ દાખલ થયેલો હોવો જોઈએ, જેના કારણે દુઃખ ઉત્પન્ન થાય. તે કારણ તે રાગ જ છે. જીવાત્માને રાગ અત્યંત પ્રિય છે. એટલા માટે જ્ઞાની પુરુષોએ રાગને બે ભાગમાં વહેંચ્યો છે, અશુભ અને શુભ. અશુભ ભાવ એમાં રાગની તીવ્રતા છે. શુભ ભાવમાં રાગની મંદતા છે, પણ રાગનો અભાવ નથી. એ કારણોથી વીતરાગનો માર્ગ અશુભનો તો એકાંત નિષેધ કરે જ છે પણ સાથે શુભનો પણ અપેક્ષાએ નિષેધ કરે છે. જયાં સુધી ચેતના રાગમાં ઊભી છે, ત્યાં સુધી તે નિજ ઘરમાં જઈ શકતી નથી. રાગને દૂર કરવા રાગ તરફનું વલણ ઉપાય નથી, રાગનો રાગ એ ઉપાય નથી, રાગ તરફ દુઃખી થવું એ પણ ઉપાય નથી. રાગનો નિષેધ એ પણ ઉપાય નથી. આ ત્રણે પ્રક્રિયાઓમાંથી રાગની તીવ્રતા મંદતા થશે, રાગનો અભાવ નહીં થાય. તો રાગનો અભાવ કેવી રીતે થશે? - રાગ રહિત જે વીતરાગ સ્વભાવ તેના દઢ આલંબનથી જ રાગનો અભાવ થશે. માટે આ સમસ્ત માર્ગ અંતરંગ છે. બહિરંગ નથી. માટે આનું સાધન અત્યંત કઠિન છે. બધા જ આધારો જયારે તૂટે છે, અને કોઈ પણ આધાર વગર જેનું હોવાપણું છે એનો આધાર લેતાં રાગનો અભાવ થઈ જાય છે. આ પરમાર્થનો ઊંડાણથી વિચાર કરશો. વિધેયાત્મક રીતે સ્વરૂપની અનુભૂતિ ન થાય ત્યાં સુધી અંતરંગનું સમાધાન થવું સંભવે નહી. વૈરાગ્ય આદિ સાધનો નિષેધાત્મક છે, જયારે સમ્યગદર્શન વિધેયાત્મક છે. સમ્યગદર્શનમાં આત્મ-અનુભૂતિ છે અને આત્મ અનુભૂતિ એ વિધેયાત્મક છે. એ અનુભૂતિ થાય ત્યારે મનના સંદેહો અને સંશયો ટળી જાય, ગ્રંથિઓ ઓગળી જાય અને મનમાં એક શાંત અવસ્થા અનુભવાય, જયાં સુધીમાં એવો અનુભવ પ્રાપ્ત થતો ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy