SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સાવલા (૪૭) સાક્ષીભાવ કેમ પ્રગટે ? સાક્ષી થવું એ ક્રિયા છે અને સાક્ષી હોવું તે અવસ્થા છે. એ પળમાં તમે ડૂબેલા હો ને પાછળથી સ્મૃતિ ઊઠે એવું બને. આ નથી જોઈતું એ સારી વાત છે, પણ આ બધું હોય તો ભલે હો, એ એના કારણે હશે. તો ચાલો જે છે તે જોઈએ પણ અંદર ન ભળીએ તે બહુ સારું છે. અપ્રમત્ત દશા એટલે પાંચ પ્રકારના પ્રમાદ ન હોય, આત્મામાં સતત જાગૃત હોય, આત્મ સ્વરૂપમાં રમણતા હોય, વૃત્તિ ક્ષણમાત્ર પણ બહારમાં ન જાય અને ઉપયોગ સ્વમાં ઠરેલો હોય. તા. ૨૩-૧૧-૧૯૮૭ આધ્યાત્મિક માર્ગે જેને ચાલવું છે તેને કયારેક કયારેક ભૌતિક લાભો ગુમાવવા પડે છે. એના કારણે ઊભી થતી ભૌતિક પ્રતિકૂળતાઓ પણ સહન કરવી પડે છે. કોઈ જીવનું પુણ્ય એવું હોય કે એને આધ્યાત્મિક સાધના કરવામાં બાહ્ય પ્રતિકૂળતાઓ ઓછી વેઠવી પડે છે. પણ જે અનુકૂળતા મળી છે, તેમાંથી આસકિત ઊઠાવી લેવી અને તે પદાર્થોમાં મનને આસકત ન થવા દેવું, સદા નિર્લેપ રહેવું એ પ્રતિકૂળતાનું દુઃખ સહન કરવા કરતાં પણ અતિ કઠિન છે. જીવ બાહ્ય દુઃખ સહન કરે છે તે દેખાય છે. પણ ભૌતિક સુખો વચ્ચે રહેવા છતાં મનમાં આસકિત ઉત્પન્ન થવા ન દે, તેમાં રસ ન લે, એમાં નિર્લેપ રહે એવા જીવને ઓળખવો અતિ કઠિન છે. છતાં આધ્યાત્મિક લાભ એ શાશ્વત છે. માટે જ જ્ઞાની પુરુષો નિરંતર અનિત્ય ભાવનાનું મનન કરવાનું કહેતા આવ્યા છે. પિ) તા. ૧૬-૧૨-૧૯૮૭ સ્પષ્ટ અભિપ્રાય આપવો એ ખોટું નથી, વધારે સારું છે. પણ પુનઃ વિચાર માટે આપણે આપણા મનને ખુલ્લું રાખવું; એટલે કે અભિપ્રાય માટે આગ્રહ ન રાખતાં પુનઃ વિચાર કરી શકાય તે પ્રકારની મનની અવસ્થા રાખવી. છેવટે તો બુદ્ધિના સ્તર ઉપર જ આ વાત હોય છે. ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy