SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સાવલા નથી, ત્યાં સુધી સાધકને એક અંતરવ્યથા રહે છે અને ત્યાં સુધી સતત સાધના અનિવાર્ય છે. ધ્યાન સ્વાધ્યાય અને તત્ત્વચિંતન ત્યાં સુધી સતત થવું જ જોઈએ. અંદરના અવરોધો જુદા જુદા પ્રકારના હોય છે. સાધક પોતે કયાં અટકયો છે, તે કદાચ સાધક ન પણ જાણે, પણ એને બિનજરૂરી વિકલ્પો કરવા ન ઘટે તેમજ નિરાશ થવું પણ ન ઘટે. એક વખત જેણે આ માર્ગે પ્રારંભ કર્યો છે, એનામાં જો સતત જાગૃતિ હશે તો એને અનુભવ થયે જ છૂટકો. સાધક ત્યાં સુધી નિરાંત અનુભવશે નહીં, એવી સાધકની અંતરંગ દશા સાધક માટે શું બને છે? એની પ્રાથમિક અવસ્થામાં એટલે પ્રારંભમાં અજ્ઞાન દશામાં તો કોઈ ભેદ જ નથી, એની સૃષ્ટિ માત્ર પદાર્થ છે, વસ્તુ છે, દશ્ય છે, ભોગ્ય છે, શેય છે, બહિસૃષ્ટિ છે. અને એમાં એવી તાદામ્ય બુદ્ધિ છે જેના કારણે દ્રષ્ટાં, જ્ઞાતા, ભોકતા જુદો દેખાતો જ નથી. આ અવસ્થામ્રાં વિચારનો, ચિંતનનો કોઈ અવકાશ નથી, ત્યાં બે નથી, એક છે, એક જ છે. પણ જે કાંઈ છે તે દશ્ય છે એટલે જાણે દ્રષ્ટા દશ્યમાં ઓગળી ગયો છે, ભોકતા ભાગ્યમાં ઓગળી ગયો છે. જ્ઞાતા જોયમાં ઓગળી ગયો છે. અહીં બિલકુલ બહિર્મુખ અવસ્થા છે. પણ હવે જયારે સાધનાનો પ્રારંભ જ થાય ત્યારે વિચારની ભૂમિકા ઉપર એક ભેદ પેદા થાય છે. એ ભેદ માત્ર પદાર્થ જ છે? માત્ર દશ્ય જ છે? ત્યાં અનુભવી જ્ઞાતા એમ કહે છે, ના, બીજું પણ કંઈક છે, બીજું પણ કાંઈક છે, અને એ જે બીજુ એને જોવાનું છે. એ બિંદુને શોધવાનું છે. આ કહેવાનું કારણ એ છે એની શોધ ચાલુ થાય અને એ માટે પદાર્થ અનિત્ય છે, અપ્રુવ છે, આ પ્રરૂપણા ચાલુ થાય, પણ આ જાણવાથી અથવા આ બોલવાથી આપણને શું ફાયદો? શું લાભ? પદાર્થ અનિત્ય છે તો છે, ભલે રહયો, પણ એક ફાયદો થાય. આપણા અસ્તિત્વનો સવાલ પેદા થાય, પદાર્થ અનિત્ય છે, તો બીજું પણ કાંઈ છે ખરું? આ તરંગ સાધનાનો પ્રારંભ છે હવે પદાર્થ તરફ જોવાની વાત નથી. ભોગ્ય તરફ જવાની વાત નથી પણ હવે જોનાર કોણ એ તરફ જોવાનો પ્રારંભ થાય આ ચિત્તની ખંડ દશા. અહીં ચિત્તની એકતા તૂટે છે. ચિત્તમાં ભેદ જ ન હતો એ ભેદ પડે છે. ચિત્તનો એક ભાગ પદાર્થ તરફ વળેલો છે અને એક ભાગ જોનારાને જોવા નીકળ્યો, આવું ચિત્ત તૂટવું જોઈએ. ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy