SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સાવલા કયા વિચારોથી અવરોધો દૂર થાય છે? ના, વિચાર તો બાધક બને છે, ક્રિયા બાધક બને છે. પોતાની અહંકાર રહિત સહજ અવસ્થા એ જ ઉપયોગી અવસ્થા છે. અહંકાર વિવિધ સ્વરૂપે પ્રગટતો હોય છે. “મારામાં કોઈ જાતનો અહંકાર નથી” એ પણ અહંકારનું સૂક્ષ્મ સ્વરૂપ છે. એટલે અહંકારનું ભાન એ જ જ્ઞાન અને અહંકારનો ત્યાગ એ જ સાચા અર્થમાં જ્ઞાન. જીવાત્મા પોતાનું અલગ અસ્તિત્વ જાળવી રાખવા બહુ મચ્યો છે. એ મથામણમાં એ વિવિધ પ્રકારની સાધના પણ કરે છે, પણ એ સાધના અંતરાયરૂપ બને છે. માર્ગમાં જરા પણ કઠિનાઈ નથી. કઠિનાઈ તો સાચી સમજ મેળવવામાં છે. પત્ર શાંતિથી વારંવાર વાંચજો. માત્ર વૃત્તિને જોવી એ પ્રક્રિયા નથી. વૃત્તિ તરફ ભલે જોઈએ, પણ જોવો છે જોનારને, વૃત્તિના આધારને, કારણ વૃત્તિ એકલી કયારેય પણ ન હોઈ શકે. વૃત્તિને આધાર જોઈએ. વૃત્તિમાં એ આધાર ખોવાયો છે. એ આધારને આપણે જોવો છે. એ આધાર તે આપણે પોતે, આપણું અસ્તિત્વ. વૃત્તિને જોવી એ ઘર બહાર જોવા જેવું છે, ઘરમાં નહીં. ઘર તો સચિત્ આનંદ છે. વૃત્તિ તો એમાં છે જ નહીં. એટલે વૃત્તિને જોવી એ ઘર બહાર જોવાની રીત છે અને વૃત્તિને જોવાથી વૃત્તિ નહીં તૂટે, પણ વૃત્તિ જણાશે પણ જશે નહીં. વૃત્તિ સામે ન જોતાં મૂળ ઘર તરફ જુઓ એટલે કે સ્વભાવ તરફ જુઓ. મૂળ સ્વભાવ જાણો તો અંદર જે ઊઠતું દેખાય તે સ્વભાવ નથી એવો નિર્ણય થાય તો ઘર બહાર ઊભા રહેવાથી શું વળે? માટે સ્વભાવને જુઓ. જે ઊઠે છે તે વૃત્તિ છે. તે સ્વભાવ નહીં પણ સ્વભાવથી જુદી છે. જો પોતે સ્વભાવમાં ટકયો, ઘરમાં ગયો, પછી વૃત્તિ શું કરે? ઘર બહાર ઊભી રહી રાહ જુએ એટલે કે વૃત્તિ વિદાય લે, એ શ્રેષ્ઠ અવસ્થા છે. એટલે “સ્વ” તરફ જોવું, સ્વભાવ તરફ જોયું. “સ્વ” અને “પર” ને જુદા પાડીને સ્વને જોવું આ રીતે સાચી અને શ્રેષ્ઠ છે. જૈનદર્શનની મૂળ પ્રણાલિકા આ છે. આમાં એક વખત સ્વ પર, સ્વભાવ અને વિભાવ વચ્ચે ભેદ પાડ્યા પછી જે ઊઠે તે સ્વભાવ નહીં, સ્વ નહીં, “સ્વ” તો આ સ્વભાવ. આમ આમાં ઠરતો જાય, ઠરતો જાય. “પર” ઊઠે છે એને જોતો જાય. એ “સ્વ” નથી, સ્વભાવ નથી એમ કરતાં પોતે વૃત્તિમાં ભળે નહીં. પોતે વૃત્તિને જાણે. જે ઊઠે છે એને જાણે, એ સ્વભાવ નથી કે ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy