SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સાણતા એવા પુરુષ મળ્યા પછી, એના પ્રત્યે સમર્પણ ભાવ પ્રાપ્ત થયા પછી અન્ય કાંઈ પણ કર્તવ્ય નથી. ૧૧ વિકારો જીતવા માટે, કષાયો જીતવા માટે અલગ પ્રયત્ન કરવાનો હોય નહીં. એ રીતે કષાયો જીતાય પણ નહીં. પણ તમે તમારા સ્વરૂપમાં ઠરો તો જ કષાયો જાય. સ્વરૂપમાં ઠરતા નથી એટલે કષાયો તરફ જાઓ છો. આ માટે સદ્ગુરુ શરણ એક જ ઉપાય છે. પણ ગુરુ સામા પાત્રને જાણે છે અને જયાં સુધી એની ચેતનામાંથી આ ધ્વનિ ન ઊઠે ત્યાં સુધી ગુરુ એને એમ નથી કહેતા કે મૂકી દે બધું અને મારે શરણે આવી જા. એમ કહેવામાં અહંકાર ગુલાંટ ખવરાવે તેમ છે. પણ ગુરુ એને જવા દે છે. એટલે છેવટે તમામ વિકલ્પોથી એને થકવે છે, એ થાકે છે એટલે જ્ઞાન, તપ, વ્રત, શાસ્ત્ર આદિના વિકલ્પ છૂટી જાય છે ત્યારે એની ચેતના પુકારે છે, હવે કોઈ સાધન કરવું નથી. ગુરુ એ જ સાધન. સાધનાની આ રીત છે. ૧૨ નિમિત્તો મળે તો કષાય જીતાય ને ? નિમિત્તો માટે મારી ના નથી, નિષેધ નથી. કહેવું તો એ છે કે તમે જાગો તો નિમિત્તો અપૂર્વ અસર કરે. તીર્થંકર મળ્યા પણ હૃદયમાં ન ધાર્યા એટલે મેળ ન પડયો. નિમિત્તો તો બન્યા છે, નિમિત્તો હાજર છે, પણ ઉપાદાન તૈયાર થાય ત્યારે ને ? એટલે ઉપાદાન કારણમાં રહેલી કારણતા પ્રગટ થવામાં નિમિત્ત પ્રાથમિક અવસ્થામાં અસર કરે; પણ ઉપાદાન તૈયાર જોઈએ. જેમકે ધરતી તપે એટલે વરસાદ થાય જ, ધરતીએ તપવાનું છે, વરસાદને વરસવા માટે કહેવું નહીં પડે. સદ્ગુરુ હાજર છે. હાજર હોય છે પણ તમારામાં ઝંખના ન હોવાના કારણે એનો યોગ નિષ્ફળ જાય છે. એની સાથે સંબંધ થતો નથી. ખરી ઘટના એવી બને છે જયારે તમારામાં અંદ૨માં, પરમ તત્ત્વ માટેની પરમ ઝંખના જાગે છે, ત્યારે માર્ગ મળી રહે છે. ઝંખના, તાલાવેલી જોઈએ. સદ્ગુરુ હાજર છે તો ઉપદેશની અસર ન પડે ? Jain Education International For Private & Personal Use Only ૨૩ www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy